SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાજ્ઞાને સામે રાખવી તેજ પ્રતિલેખનનો વાસ્તવિક અર્થ છે. આજ્ઞા બે જાતની છે. ક્યાંક આજ્ઞા આદરવાની છે. અને ક્યાંક પરિહ૨વાની પણ આજ્ઞા છે. સુદેવાદિને આદરે અને કુદેવાદિને પરિહરે. સમગ્ર શાસનનો સાર મુહપત્તિના ૫૦ બોલમાં છે. મુહપત્તિ પડિલેહણની ક્રિયા આદર્શ છે. જેનાથી અનંતા કર્મોનો ક્ષય થાય ભણેલા પાછળ રહી જાય, ક્રિયાના બળે શ્રધ્ધાથી મોક્ષ થાય. મારા દ્વારા કરાતા આ ડિલેહણથી મોક્ષે જનારા અનંતા આત્માઓ છે. જે વાત ‘મહાનિશિથ સૂત્ર’માં પ્રતિલેખન કેવળીના અધિકારમાં જણાવી સ્પષ્ટ કરી છે. મુહપત્તિનું પડિલેહણ તે આત્માનું પડિલેહણ છે. આત્માના પડિલેહણ માટે જ ૫૦ બોલ બોલવાના છે. બોલ એટલે ? જ્ઞાનીઓનો કોલ એને ગુજરાતીમાં બોલ કહેવાય છે. આ બોલ દ્વારા જ્ઞાનીઓની આજ્ઞાનું લક્ષ જાળવવાનું છે. ``ચશ્રવ’' સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવર આશ્રવના યોગો છોડવાના છે, સંવરભાવ ક૨ના૨ા યોગને આદ૨વાની આજ્ઞા છે, તેનાથી આત્માની શુદ્ધિ થાય છે. ૧૫૭ સાધુ, ૧૩-૧૪ આચાર્ય, ૩૦-૩૫ સાધ્વી, ૨૫-૨૭ પ્રૌઢ ગીતાર્થ શ્રાવકની મુહપત્તિ પડિલેહણની વિધિ મેં (પૂ. પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મહારાજ) જોઇ સાથે-સાથે આગમ ગ્રંથો, પ્રકરણો, કુલકોમાંથી* વિધિ મેળવી, ત્યારે લાગ્યું કે આજે અજ્ઞાનતાના કારણે મૂળ વિધિથી બહુ દૂર છીએ. અજ્ઞાનદશા એ ધર્મમાં અવરોધક ચીજ છે. અજ્ઞાનદશા જ્ઞાનાવરણીયના ઉદયથી હોય અને તેમાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય ભળે તો શાસન પ્રત્યેનું બહુમાન જ ન રહે ? દ્રવ્યક્રિયામાં ભાવને ઉત્પન્ન કરવાની તાકાત છે. પણ દ્રવ્ય ક્રિયા કઇ ? જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની દ્રવ્ય ક્રિયા હોય તો ભાવ ઉત્પન્ન થાય. આપણી ક્રિયાઓમાં જ્ઞાનીઓની આજ્ઞાની પ્રધાનતા કેટલી ? જ્ઞાનીઓની આજ્ઞા રહસ્યમય હોય છે જેમકે... * સં. ૨૦૪૨ના પોષ મહીને. શંખેશ્વર મહાતીર્થે પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિ મ.ના સાનિધ્યમાં બિરાજમાન ૨૫૦ થી ૩૦૦ સાધુ-સાધ્વીજી મ.ની વાચનામાં ૧૦ દીવસ સુધી રોજ ૨/૨।। કલાક માત્ર મૂળ વિધિથી મુહપત્તિનું પડિલેહણ કેમ કરવું તે ફરમાવેલ. વાચના-૩૧ Jain Education International For Private & Personal Use Only १५ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy