SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રાઈ પ્રતિક્રમણમાં પાંચમું આવશ્યક “કાઉસગ્ગ' પ્રથમ આવ્યું. પ્રથમ શા માટે આવ્યું ? “પ્રતિક્રમણ ગર્ભહેતુ'' નામે પુસ્તક છે. જે ૩૦૦ વર્ષ પૂર્વના મુનિ ભગવંતે આ ગ્રંથ લખેલ. હાલ એનું ભાષાંતર ભાવનગરમાંથી છપાયું છે. તેમાં જણાવેલ છે કે રાઇ પ્રતિક્રમણામાં પ્રમાદના પરિહાર માટે ચારિત્રાદિ આચારની વિશુધ્ધિના ત્રણ કાઉસગ્ન પહેલાં કરવાના છે તેમાં એક લોગસ્સનો કાઉસ્સગ્ન ચારિત્રાચારની શુદ્ધિ માટે. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ દર્શનાચારની શુધ્ધિ માટે અને ત્રણ ગાથાનો કાઉસ્સગ્ગજ્ઞાનાચારની શુદ્ધિ માટે કરવાનો છે. સવારે આંખમાં ઉંઘ હોવાની શક્યતા હોવાથી અતિચારનો બરાબર વિચાર થઇ શકે નહી આથી ત્રીજા કાઉસ્સગમાં અતિચારની વિચારણા કરવાની છે. ૪ લોગસ્સમાં ૧૦૦ શ્વાસોશ્વાસ થાય. બે લોગસ્સમાં ૫૦ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન થાય. એક લોગસ્સના ર૫ શ્વાસોશ્વાસ ચંદેસુ નિમ્મલયરા સુધી થાય. અર્થાત્ ૧-૧ લોગસ્સનો બે વાર કાઉસ્સગ કરવો એમ આવશ્યક સૂત્રમાં છે. ત્રીજા કાઉસ્સગ્નમાં દોષોનું ચિંતવન કરે. પ્રાચીન કાળમાં મુનિઓ; સ્વપ્ન આવ્યું હોય, કામળીનો ઉપયોગ ન રાખ્યો હોય વિગેરે રાત્રે લાગેલા અતિચાર-દોષોનું ધ્યાન રાખી ચિતવન કરતા. સવારથી સાંજ અને સાંજથી સવાર સુધીના અતિચારને યાદ કરી હૃદયમાં ધારી રાખે. રાત્રિક અતિચારની ચિંતવના રૂપ ત્રીજો કાઉસ્સગ્ન પારીને પછી સિદ્ધોની સ્તુતિ રૂપ “સિધ્ધાણં બુધ્ધાણં' સૂત્ર બોલે. પછી સંડાસા=પ્રમાર્જના પૂર્વક બેસી; મુહુપત્તિનું પડીલેહણ કરે. તે પડીલેહણ કેવી રીતે કરે તે અધિકાર અગ્રે.... વાચના-૩૦ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy