SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પછી દ્રવ્ય અને ભાવથી ઉભા થઇને કરેમિ ભંતે સૂત્ર બોલવાનું છે. તેમાં માત્ર શરીરથી ઉભા નહીં થવાનું. ઉપયોગથી પણ ઉભા થવાનું છે. શરીરથી ઉભા થવું તે દ્રવ્ય અને ઉપયોગનું જોડાણ કરવું તે ભાવ. આમ બંને રીતે સજ્જ થવાનું છે. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે પ્રતિક્રમણ થાય. તેના ચાર ભાંગી પડે. (૧) દ્રવ્યથી (શરીરથી) ઉભો રહે ભાવથી ઉપયોગ રહે, (૨) દ્રવ્યથી ઉભો રહે, ભાવથી ઉપયોગ રહે. (૩) દ્રવ્યથી બેઠો રહે ભાવથી ઉપયોગ રહે. (૪) દ્રવ્યથી બેઠો રહે ભાવથી ઉપયોગ ન રહે. આ ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગે પ્રતિક્રમણ કરવાનું છે. આપણે ગળીયા બળદ ન બનતાં ઉલ્લાસપૂર્વક પ્રતિક્રમણ કરવું. આથી ઉભા થઇ ઉપયોગપૂર્વક કરેમિભંતે', સૂત્ર બોલે. કરેમિ ભંતે સૂત્ર બોલવા દ્વારા સામાયિક આવશ્યક કરવાનું છે. અને લીધેલી પ્રતિજ્ઞાને યાદ કરવાની છે. તેમાં (નિયમમાં) જ્યાં જ્યાં ગાબડું પડ્યું હોય તેને યાદ કરવાનું છે. પછી ચારિત્રાચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર વિગેરેના અતિચારની વિશુદ્ધિ માટે ત્રણ કાઉસ્સગ કરવાના છે. કાઉસગ્ન એટલે શું ? પરમાત્માના શાસનમાં આપણી કાયાને સ્થિર કરવા કાયા ભાવનો ઉત્સર્ગ ત્યાગ કરવો તે કાઉસ્સગ છે કાયભાવ કર્મબંધનું કારણ છે તેથી તેના ત્યાગ માટે કાઉસ્સગ્ન કરવાનો છે. તાવવાથે ગપ્પાપનું એ સીધો સંબંધ છે. તા) | વિગેરે ત્રણ તો સાધન છે. આત્માના આ ત્રણ બહિરાત્મ ભાવો અર્થાત્ ઇન્દ્રિય, શરીર, મન, બુદ્ધિ વિગેરે રૂપ જે આત્મા તેનો ત્યાગ કરવાનો છે. 'હOUT UT '' સ્થાન, મૌન અને ધ્યાન વડે શરીર રૂ૫ આત્માનો ત્યાગ કરવાનો છે, પદ્ધતિપૂર્વક શબ્દ બોલાય તો મોહનીયના સંસ્કારો ઘટવા પામે. પ્રશ્ન : જ્ઞાનાચારાદિની વિશુદ્ધિ માટેના ત્રણ કાઉસ્સગ્નમાં શું ચિંતવન કરવું? ઉ. સાંજે દેવસિય પ્રતિક્રમણમાં આયરિય ઉવઝાય પછી ૨-૧-૧ લોગસ્સનો કાઉસ્સગ્ન આવે. સવારે પહેલાં ૧-૧ લોગસ્સ અને પછી અતિચારની ગાથાનો કાઉસ્મગ છે. વાચના-૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy