SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ટુંકમાં સવારે પ્રતિક્રમણમાં વિહરમાનના દુહા ન બોલાય. બધી ભાવના પ્રતિક્રમણ પછી ભાવવાની. પણ, પ્રતિક્રમણ પછી તો આપણને ફુરસદ જ નથી. મોહનીયને તોડવાનું ઉત્કૃષ્ટ કોટિનું લક્ષ્ય હજી જાણ્યું જ નથી. માટે જ બધી દોડાદોડ છે. વિધિ પણ મન મરજી મુજબ કરીએ છીએ. પ્રતિક્રમણની શરૂઆત ક્યાંથી થાય ? ઠાવ્યા પછી પ્રતિક્રમણની વાસ્તવિક શરૂઆત થાય છે. દેવસિય પ્રતિક્રમણમાં ઠાવ્યા પહેલાં નમ્રુત્યુાં આવે, રાઇ પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી નમ્રુત્યુાં આવે. પ્રતિક્રમણ ઠાવ્યા પછી તુરત પ્રતિક્રમણ = પ્રાયશ્ચિત્ત સૂત્રો હોય, પરંતુ સવારે રાઇ પ્રતિક્રમણમાં પ્રથમ નમુન્થુણં સૂત્ર કેમ ? ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઇય ડિકમણ ઠાઉં ? બોલ્યા પછી જમણો હાથ ઠાવી ‘સવ્વસ્તવિ’ બોલી તે પછી નમ્રુત્યુાં આવે. આ સૂત્ર મંગલ રુપે છે. પહેલાં આવતું નમુન્થુણં તે સ્વાધ્યાય વિગેરેને માટે જાગૃત થયા પછી પ્રથમ મંગલ છે. પ્રતિક્રમણ સાથે તેનો સંબંધ નથી. પ્રતિક્રમણ જેવા મહત્વના કાર્ય માટે મંગલ માટે આ સૂત્ર છે. મોહની પક્કડને ઢીલી કરવાની છે. યશોવિજયજી મ.સા.એ ષડાવશ્યકની ઢાળો બનાવી છે. ‘‘પ્રતિક્રમણ ગર્ભ હેતુ’’ નામે ગ્રંથ છે. વળી આવશ્યક સૂત્ર વિગેરેમાં છે કે જ્ઞાનીની આજ્ઞાના બહુમાનથી મોહનીય ઢીલું પડે છે. અનાદિકાળના સંસ્કારને હટાવવાનું બળ મેળવવા આદિ મંગલ તરીકે આ નમુન્થુણં છે. વીતરાગના ગુણોના સ્મરણ-ચિંતન દ્વારા કર્મો ઢીલા પડે છે. દેવસિય પ્રતિક્રમણ દિવસના છેડે છે, રાઇ પ્રતિક્રમણ ઉંઘ પસાર કર્યા પછી છે. આથી મોહનીયના સંસ્કારનું બલ ઢીલુ ત્યારે જ થાય કે જ્યારે મંગલાચરણ કર્યું હોય. હવે પછી જે શુદ્ધિ કરવાની છે. તેમાં છળકપટ ન આવી જાય તે માટે નમુત્ક્રુષ્ણના મંગલાચરણ દ્વારા વીતરાગ પ્રભુની ચિંતવના કરવાની છે. રાઇ પ્રતિક્રમણમાં મંગલ તરીકે માત્ર એક જ નમ્રુત્યુાં આવે છે. દેવસિ પ્રતિક્રમણમાં બે નમ્રુત્યુાં આવે છે. ઊંધા અને સવળા કોડિયાનો સંપૂટ બનાવી ભઠ્ઠીમાં મૂકવાથી તેમાં ગરમી વધુ આવે. સંપૂટમાં પકાવવાથી દવાનો પાવર વધે છે તેમ દેવસિય પ્રતિક્રમણમાં નમુત્ક્ષણં પછી ચાર થોય પુન: નમૃત્યુર્ણ આ રીતે સંપૂટ કરવાનો છે. વીતરાગના ગુણગાન પ્રથમ નમુત્યુર્ણમાં આવ્યા પછી ચાર થોયમાં આવ્યા, અને છેલ્લે પણ નમુત્યુર્ણમાં વાચના ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy