SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ @ાશિ6058 સવસ્થય સામયિ .../૧૧JI શાસન પ્રભાવક પૂ.આ. ભાવદેવસૂરિ મ.એ રચેલ ‘યતિદિનચર્યા” ગ્રંથ ઉપર પૂ.આ. શ્રી મતિસાગરસૂરિ મ. એ વૃત્તિ-ટીકા રચી છે. તેમાં સાધુની સામાચારીની વાત છે. આ સામાચારી સાંભળીને આચરણમાં મૂકવાની છે. ગ્રંથની વાચનામાં આપણને રાઇ પ્રતિક્રમણનો અધિકાર ચાલી રહ્યો છે. પૂર્વે પ્રતિક્રમણ વિધિમાં રાઇય પ્રતિક્રમણ ઠાવવાથી પડું આવશ્યક જ હતાં. હાલ સામાઈક વિગેરે કર્યા હોય; ન કર્યા હોય, અથવા ગુરુ નિશ્રાએ ન કર્યા હોય તે માટે બાકીના પાંચ આવશ્યકને મિશ્ર કરી સીમંધર સિધ્ધાચલ એ બે ચૈત્યવંદન સુધી રાઇ પ્રતિક્રમણ ગણાય છે. ઉપાધ્યાય યશોવિજયજી, માનવિજયજી, વિદ્યા વિજયજી વિગેરે ચાર વાચકોએ કમિટિમાં જે વિધિ નક્કી કરી છે તે હાલ માન્ય છે. જોકે સકલતીર્થ પછીથી ઉમેર્યું છે. તો પણ ગીતાર્થ માન્ય છે. કોઇ જ ફેરફાર ન થાય. સકલતીર્થમાં બધુ જ આવી જાય. પછી બીજા તીર્થકરોને વંદના કરવાની જરૂર જ નથી. જો કે, પાપોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ પછી બોલે તે ખોટું નથી. પણ વિધિમાં આ નથી. માટે વચ્ચે ચાલુ ક્રિયામાં ન બોલાય. “સમરો મંત્ર ભલો” એમાં વધુ ગાથા ઉમેરવી તે દોષ છે. વધુ અક્ષર કે હિનાાર ન જ બોલાય. ચાલુ પ્રતિક્રમણમાં જિતકલ્પની મર્યાદાઓમાં નક્કી થયેલ છે તે સિવાય અન્ય કાંઇ ન બોલાય. સીમંધર સ્વામી સિધ્ધાચલના ચૈત્યવંદનની પૂર્વે દુહા વગેરે બોલવાની જીતકલ્પની મર્યાદા કે પરંપરામાં નથી પણ ભાવાવેશમાં હમણાં હમણાં ચાલુ થયા છે. જિતકલ્પની મર્યાદા નક્કી થયા પછી ઇચ્છા-ભાવ મુજબ કાંઇ ઉમેરાય નહીં. વાચના-૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy