SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ હોય. જોકે તેમાં એકાંત નથી. આજનો દીક્ષિત પણ મોહનીયના તીવ્ર ક્ષયોપશમ વાળો હોઇ શકે. ચંડરુદ્રાચાર્યના શિષ્યને કેટલો મોહનીયનો ક્ષયોપશમ હતો. માટે એકાંત નથી કે વડીલનો મોહનીયનો ક્ષયોપશમ અને રત્નત્રયીનું બળ વધુ હોય પણ, “જેટલો પર્યાય વધુ તેટલો મોહનો ક્ષયોપશમ વધુ” એ રાજમાર્ગ છે. એમ તો ગૌતમસ્વામીના શિષ્યો દીક્ષા લેતાંની સાથે જ કેવલી બની જતા.. “જિહાં જિહાં દીજે દિકખ-તિહાં તિહાં કેવળ ઉપજે.'' એ વિશેષણ ગૌતમસ્વામી ભગવંતને લાગ્યું. ઓછા સંયમ પર્યાય વાળાનો પણ મોહનીયનો ક્ષયોપશમ વધુ હોઇ શકે, સર્વ કર્મનો ક્ષય પણ કરી શકે. પણ; આપણે રાજમાર્ગે ચાલવાનું છે. વધુ સંયમ પર્યાયવાળાને વધુ મોહનીયનો ક્ષયોપશમ હોય એમ માની તેમને વડીલ માનવા. ૧૮-૨૦ વર્ષે મેટ્રીક પાસ-થાય એજ જનરલ માર્ગ છે. બાકી કો’ક તેજસ્વી આત્મા નાનીવયથી પણ તીવ્ર બુધ્ધિશાળી હોય ! વડીલોના મુખેથી સાંભળેલા શબ્દો આત્માને વધુ અસર કરી મોહનીયના સંસ્કારોને ઘટાડે માટે સર્વેસ્સવ રીચ’’ પાઠ ને ગુરુ મહારાજ બોલે, બીજા બધા સાધુ શ્રાવકો મનમાં ધારે. ગુરુ મહારાજના ક્ષયોપશમ દ્વારા નીકળેલા શબ્દો, આદેશ વિગેરે વધુ અસર કરે. આથી દરેક સાધુ માંડલીમાં જ પ્રતિક્રમણ કરે. ક્યારેક કોઇક અપવાદના કારણે મોડું થાય તો ગુરુ મહારાજ પાસે નજીકમાં રહી આદેશ માંગવા પૂર્વક પ્રતિક્રમણ કરે. આ સૂત્ર સલ્વેસ્સવ’ રાત્રિના અતિચાર ને આલોચવાનું તથા મોહનીય નો ક્ષયોપશમ કરવાનું સૂત્ર છે. “સવ્યસ્તવિ” નો સંબંધ “મિચ્છામિ દુક્કડમ્સાથે છે. આ સૂત્ર સળંગ બોલાય છે. આમાં આપણા ઉપયોગની ખામી ખૂબ હોય છે. આખા પ્રતિક્રમણમાં ઉપયોગ રાખવાનો છે. દોષ સ્થાનો ક્યા ? અતિચાર ક્યાં કેવી રીતે લાગે છે ? તે આ સ્થાને “સત્વસવિ’ સૂત્ર દ્વારા વિચારવાનું છે, ભૂતકાળમાં કરેલા પાપોની આલોચના પણ અત્રે કરવાની છે. 'ગાં નિંદ્રા'' વિગેરે પદોથી ત્રિકાળના પાપોની આલોચના પ્રતિક્રમણમાં કરવાની છે. અહીંથી પ્રતિક્રમણની શરૂઆત થાય છે. પ્રતિક્રમણમાં જ ઉપયોગની જાગૃતિ રાખવાની છે. સૂત્રો-અર્થ અને તેના ભાવોમાં સ્થિરતા કેળવવાની છે. તે પ્રતિક્રમણ કેવી રીતે કરવું તેના ક્યા રહસ્યો છે તે આગળ વિચારશું. વાચના-૨૯ . S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy