SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ બેંતાલીસ દોષ રહિત આહારાદિ ગ્રહણ કરે. ગીતાર્થ બન્યા પહેલાં ગોચરી-ગવેષણા માટે જવાય નહીં કે મોકલાય નહીં. કેમકે ગીતાર્થ જ ૪૨ દોષ ટાળી શકે. પિંડ એટલે આહાર વિગેરેનો જથ્થો. જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય તે પિંડ. ગોચરી, પાત્ર, ઉપધિ, મકાન આ ચાર જાતના પિંડમાંથી ૩ની ગવેષણા આજે સાવ નથી. ગોચરીમાં પણ નથી કેમકે તૈયાર રસોડેથી જ પાતરા ભરવાની વૃત્તિ થઇ ગઇ છે. ૪૨ દોષ રહિત આહાર વિગેરે ગ્રહણ કરવાનું છે તે વ્યવહાર સૂત્ર, નિશીથસૂત્ર, નિશીથ, પંચકલ્પ, જીતકલ્પ વિગેરેમાંથી સાધુ ગોચરીનું જ્ઞાન મેળવે અને ગોચરીના ગીતાર્થ થાય એટલો અભ્યાસ દુર્લભ છે, માટે જધન્યથી ગોચરીના ૪૨ દોષ અર્થ સાથે આવડતા હોય તે જઘન્યથી ગોચરીના ગીતાર્થ છે. આ ૪૨ દોષના નામ અર્થ સાથે આવડતા હોય તેની ટૂંકી વ્યાખ્યા જેના મગજમાં હોય અને તે દોષો નિવારવા તત્પર હોય તે જઘન્ય ગીતાર્થ કહેવાય ૪૨ દોષ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧૬ ઉદ્ગમ દોષ, ૧૬ ઉત્પાદનના દોષ અને ૧૦ એષણાના દોષ એમાં. ઉદ્ગમ એટલે જન્મ-ઉત્પન્ન થાય તે...આ દોષ ગૃહસ્થ તરફથી વિશેષ લાગતા હોય છે. ગૃહસ્થ ભક્તિ-ભાવથી કરે તેમાં ૧૬ દોષ છે. ઉત્પાદ-સાધુ તરફથી લાગતા દોષ. ઉત્પાદ = પાતરામાં મૂકવું તે. વળી એષણાના ૧૦ દોષ જે ગવેષણાની ખામીને કારણે લાગે છે. પ્રથમ ઉદ્ગમના ૧૬ દોષ ગૃહસ્થના નિમિત્તે લાગે છે તે ૧૬ દોષ ગૃહસ્થને સમજાવવા જોઇએ. આથી એ પોતે બચી શકે. અને અજ્ઞાન અણસમજ કે ભક્તિથી સાધુને દોષ લગાડતા હોય તે ટાળી શકે. પિંડની ઉત્પતિ થવામાં ૧૬ દોષ આ રીતે છે. (૧) આધાકર્મ ``સઘાય ચિતે ચ ́' આધાકર્મી, એટલે ગુરુ મહારાજને હૈયામાં ધારણ કરીને જે રસોઇ આરંભ-સમારંભ છ જીવની કાયની વિરાધના વિગેરે પાપક્રિયા કરાય તે આધાકર્મી. આજે સાધુ-સાધ્વીમાં આ મર્યાદા ખૂબ ઘટતી જાય છે. નવકારશી પણ સૂર્યોદય પહેલાં વહોરાય છે. આથી શ્રાવકો ખાસ વહેલા બનાવે. સૂર્યોદય પહેલાં જ ધડા લઇ પાણી લેવા જવું કેટલું અનુચિત ? આથી સંયમ નિઃસાર બને. વિચારધારામાં નબળાઇ થાય આથી આ દોષ ટાળવા સજાગ રહેવું. તેમાંય આવા વાચના-૫૯ Jain Education International For Private & Personal Use Only ૧૮૩ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy