SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દોષિત આહાર તીર્થમાં જ વપરાય તો પરિણામ કેવા નિર્ધ્વસ થઇ જાય ? (૨) ઔદેશિક ભિખારી, પાખંડી વિગેરે માટે બનાવેલા આહારમાં આપણું નામ પણ ભેગું હોય તે. (૩) પૂતિકર્મ-અપવિત્ર, એટલે ગૃહસ્થ ગઇકાલે જે વાસણમાં આધાકર્મી બનાવ્યું હોય તે જ ચમચા-થાળી તપેલી વિગેરે વાસણોમાં બનાવે કે તેનાથી વહોરાવે; પછી ભલે આજે તે આહાર શુદ્ધ હોય તો પણ દોષ લાગે. તથા સાધુએ પણ ગઇકાલે જે પાતરામાં આધાકર્મી વહોર્યું હોય તે જ પાતરામાં આજે શુધ્ધ આહાર વહોરે કે તે પાતરા દ્વારા વાપરે તે પૂતિકર્મ દોષ છે. આધાકર્મી જે પાતરામાં કારણે એકવાર પણ વહોર્યું હોય તે પાત્રને ફરી લેપ ન થાય ત્યાં સુધી (તે પાત્રનો) ઉપયોગ ન કરાય. તેમાં અશુદ્ધ પરમાણુઓ છે. તે શુદ્ધ આહારને સદોષ બનાવી દે. શુદ્ધ ગોચરીમાં થોડો પણ દોષિત આહાર આવવાથી આ દોષ લાગે છે. તે તો સ્થૂલ છે. અલેપ પાત્રમાં કે દોષિત આહાર બન્યો હોય તે ગૃહસ્થના ચૂલા-વાસણથી પણ આ દોષ લાગે છે. (૪) મિશ્રજાત-રસોઇ બનાવતાં જ ગૃહસ્થ વિચારે કે આમાંથી થોડી રસોઇ આપણે વાપરશું અને થોડી સાધુને વહોરાવશું. આમ રસોઈ બનાવવાનો વિચાર આવ્યો ત્યારથી જ ઉભય અર્થે-મિશ્ર વિચાર હોય છે. આ દોષ પ્રાય: આયંબિલ ખાતામાં વધુ લાગે તે પણ જો સાધુ ૮-૧૦ હોય અને ગૃહસ્થ ન હોય તો મિશ્ર નહીં પણ વધુ દોષ લાગે. (૫) સ્થાપના-સાધુને વહોરાવવા માટે જુદુ કાઢીને મૂકી રાખે છે તેમાં સાધુને વહોરાવવાના વિચારની સ્થાપના કરી તે સ્થાપના દોષ. (૬) પાહુડી-આપણા નિમિત્તે લગ્ન વિગેરેના પ્રસંગો વહેલા મોડા કરે તે સમયે વહોરવું તે લગ્ન પછી ચીજ લેવાય-વહોરાય પણ ચાલુ પ્રસંગમાં નહીં. (૭) પ્રાદુષ્કરણ લાઇટ કરે યા વસ્તુ જોવા માટે નવા બારી-બારણા ખોલે અને તે વ્યક્તિ પછી વહોરાવે. (૮) ક્રીત દોષ સાધુને માટે ખરીદી લાવીને વસ્તુ વહોરાવે તે. (૯) પ્રામિત્ય સાધુ માટે વસ્તુ ઉધાર લાવીને વહોરાવે. (૧૦) પરાવર્તિત સાધુની માટે વસ્તુની અદલા-બદલી કરે. જેમકે પાડોશીને ચોખા આપી તેને બદલે મગ લાવે. આ દોષના ઘણા પ્રકારો પિંડ નિયુક્તિમાં છે. વાચના-૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy