SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ quad-yo હિમને દરે...દરૂJI પૂ. આચાર્ય ભાવદેવસૂરિ એ બતાવેલ યતિદિનચર્યા' નામના ગ્રંથમાં શાસ્ત્રીય મર્યાદાનું દોહન છે. તેમાં સાધુને દેરાસરના ચૈત્યવંદનનો અધિકાર ચાલી રહ્યો છે. તેને અનુલક્ષી દિવસ દરમ્યાન સાધુએ કેટલા ચૈત્યવંદન કરવાના તે જણાવે છે. સાધુને ઉડ્યા ત્યારથી સુવે ત્યારસુધીમાં સત્તા’’ ૭ ચૈત્યવંદન થાય. (૧) સવારે રાઇ પ્રતિક્રમણમાંનું ચૈત્યવંદન (૨) દેરાસર સમયે (૩) વાપરતાં પચ્ચકખાણ પારે ત્યારે (૪) વાપર્યા પછી અહીં (સતત) શબ્દ છે. અર્થાત્ નિરંતર (૫) દેવસી પ્રતિક્રમણમાં (૬) શયને સંથારા પોરિસી સમય (૭) સવારે પ્રબોધકાલે જગ ચિંતામણીનું. એમ સાત ચૈત્યવંદન સાધુએ અહોરાત્રિમાં કરવા. ગૃહસ્થને પણ ૩-૫ યા પૌષધમાં ૭ ચૈત્યવંદન કરવાના છે. ગૃહસ્થ ઉભય પ્રતિક્રમણ કરતો હોય અને ત્રિકાળ પૂજા કરતો હોય તો સાત ચૈત્યવંદન થાય. પ્રતિક્રમણ ન કરતો હોય તો પ ચૈત્યવંદન થાય. વળી પ્રતિક્રમણ ન કરતો હોય તો ત્રિસંધ્યા પૂજા કરે તો તે ૩ ચૈત્યવંદન થાય. દેવવંદન ન કરવાથી મહાનિશીથમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ત્રિકાળ દેવવંદન કરવું જ. બપોરે પચ્ચકખાણ પહેલાં કરવું જ. ત્રણેય વાર દેવવંદન ન કરે તો પ્રાયશ્ચિત્ત છે. દેવવંદન દેરાસરમાં જ કરવું એવું નથી મુકામમાં પણ કરાય. સાધુ-સાધ્વીએ સાંજે દેરાસરે જવું પણ મર્યાદા પૂર્વક સૂર્યાસ્ત પહેલાં જ જવું. દેરાસરમાં પોરસી ન ભણાવાય, કેમકે દેરાસરમાં પોરસી ભણાવે તો ત્યાં તેને વાચના-પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy