SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ આદેશ કોણ આપે ? માટે ગુરુ સમક્ષ જ પોરસી ભણાવવી ગુરુ સમક્ષ નિવેદન કરી દેવું, દાંડાથી પોરસી ભણાવ્યા પછી ભગવાન સામે ભણાવવાની કોઇ જરૂર નથી સાધુએ અહોરાત્રિમાં સાત ચેત્યવંદન કરવાના. ચૈત્યવંદન કેટલા પ્રકારના ? *જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ ત્રણ ભેદે ચૈત્યવંદન છે. નવવારે નગ્ન-નમસ્કાર એટલે પ્રણામ કરવા, તે જઘન્ય ચૈત્યવંદન છે. નમસ્કાર પાંચ પ્રકારના છે – ૧) મસ્તક નમે તે એકાંગ નમસ્કાર. ૨) બે હાથ જોડે તે દ્વિઅંગ નમસ્કાર. ૩) બે હાથ મસ્તક જડે તે ત્રિઅંગ નમસ્કાર ૪) બે હાથ બે ઢીંચણથી ચતુર્અંગ નમસ્કાર. ૫) બે હાથ બે ઢીંચણ અને મસ્તક તે પંચાંગ નમસ્કાર. આ જઘન્ય ચૈત્યવંદન છે. અથવા બીજી રીતે વિચારીએ તો સ્તુતિ શ્લોક બોલવા પૂર્વક નમસ્કાર કરવો તે જઘન્ય ચૈત્યવંદન છે. અરિહંત ચેઇઆણં-અન્નથ્થ-કાઉસગ્ગ કરી સ્તુતિ બોલવી તે મધ્યમ ચૈત્યવંદન અથવા પાંચ દંડક પૂર્વક થાય જોડો બોલવો તે પણ મધ્યમ ચૈત્યવંદન છે. ''તુતિ યુનં-સમય માયા તુતિ વતુર’’ અહીં “સ્તુતિ-યુગલ થાય જોડો' એ પારિભાષિક શબ્દ છે આગમિક ભાષામાં તેનો અર્થ “ચાર થાય' એમ થાય છે. ચાર થોયોએ આગમ સિદ્ધ વિધિ છે. દેવ-દેવીના કાઉસગ્નમાં “અરિહંત ચેઇયાણં' ન બોલાય, કેમકે તેઓ અવિરત છે. જ્યારે લોગસ્સમાં ૨૪ જિન, પુખરવરદીમાં શ્રુતજ્ઞાનાદિ છે માટે આરાધના છે. તેથી ત્યાં “અરિહંત ચેઇયાણં' બોલાય. જઘન્ય ચૈત્યવંદનમાં ‘ઇરિયાવહિયા' આવશ્યક નથી. પણ મધ્યમ ચૈત્યવંદનમાં “ઇરિયાવહિયા છે, ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં દેવવંદન ગણવા જેમાં પાંચ શકસ્તવ આવે. આ રીતે સાધુને સાત ચૈત્યવંદનાદિ કરવાના છે. * જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ચૈત્યવંદન મૂળ ગ્રંથકારે જ આરીતે જણાવ્યા છે. અન્ય ગ્રંથોમાં બીજી રીતે પણ વિવક્ષા જોવા મળે છે. -સંપાદક વાચના-પ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy