SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા પ્રકાશતતી પુસ્તક પરબ કલ્યાણ એજ સહુનું ધ્યેય... શાસન વિના નહીં કલ્યાણ. શ્રમણ વિના નહી શાસન.... વાચના વિના નહીં શ્રમણ... આપણા તમામ આચાર્ય-ઉપાધ્યાય-ગણી-પંન્યાસ-મુનિ પરંપરાએ, શાસનને ટકાવી રાખવા અને શ્રમણોના જીવતરના ઘડતર કાજે આ વાચનાસાધનાને બરકરાર રાખી. આગમ-વિશારદ નવકારનિષ્ઠ પૂ.પં. ગુરૂદેવશ્રી અભયસાગરજી મ. આ વાચના-સાધનાના એક ઐતિહાસિક ઋષિ હતા. 1 એમનું આચાર-સુંદર જીવન અને આગમરસ ભરપૂર વચનથી શ્રી સંઘને ઘણો લાભ થયો અને થશે. તેઓશ્રીએ ઘણા ઘણા આગમગ્રંથો, આચાર ગ્રંથો, તત્વગ્રંથો પર દેશના ફરમાવી છે. હાલ અનેક શ્રમણોના જીવન શ્રાવક સંઘોના કર્યો અને કેટલીય નોંધપોથી એની ગવાહી છે. એમાંય એક સાચો શ્રમણ, સાચા શ્રમણ થવા માટે શું કરી શકે એનો એક બહુમૂલ્ય દસ્તાવેજ આ ગ્રંથ બની રહેશે. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.ની જંગી મહેનત અને પૂરી કાળજી બાદ અમારા પ્રતિષ્ઠાન તરફથી પ્રકાશિત થઇ રહી છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. પુસ્તક પરબને ખુલ્લી મુકવા સાથ-સૌજન્ય-સહકાર આપનાર સહુના અમે સદાના ઋણી છીએ. જેઓને અર્પવા આ પુસ્તકની અમને ભેટ મળી, એ શ્રમણ સંઘના ચરણોમાં વંદન લળી લળી...! લિ. આગમોદ્ધારક પ્રતિષ્ઠાન XV Jain Education international or wwjainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy