SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓ પણ છેદસૂત્ર ભણતાં થઇ ગયા પરિણામે ક્યારેક જ અપનાવવામાં આવતો અપવાદ માર્ગ આજે આસાનમાર્ગ બની. ગયો છે. રસોડા, આધાકર્મી ગોચરી, દૂષિત આહારપાણી, વ્હીલચેર, કામળીના કાળમાં ય મટકાની અને રેશમની કામળીનો ઉપયોગ, મચ્છરદાની. આ બધા નમૂના છે. અને જ્યારે આ બાબત ક્યારેક અમુક પૂજ્યોને પૂછવામાં આવ્યું ત્યારે જવાબ પણ એવો મળ્યો કે “જો' શાસ્ત્રોમાં અપવાદમાર્ગ છે તો એને અમલી બનાવવો જોઇએ ને ? અમલી ન બનાવીએ તો અપવાદમાર્ગનું સૂચન જ વ્યર્થ બની જાય ! અસ્તુ. તાત્પર્ય એ છે કે પૂજ્ય ગુરૂદેવશ્રી છેદસૂત્રના તલસ્પર્શી જ્ઞાતા હોવા છતાં યથાશક્ય 'અપવાદમાર્ગનું સેવન કર્યા સિવાય જ આચારચુસ્ત, સમાચારી ચુસ્ત જીવન જીવતા. સમાચારીનું પાલન એ જ ખરેખર સાધુજીવન છે. અને સમાચારી એટલે શાસ્ત્રોક્તા જિતકલ્પ-અનુસારની પ્રવૃત્તિ...આ બાબત ઉપર પોતે ખૂબ જ ભાર દેતા. હિંસા અહિંસાના વિચાર કરતાં પણ જિતકલ્પ અને સમાચારીનું સ્થાન વેંત ઊંચેરુ છે એમ પૂજ્યશ્રી જણાવતા. યતિદિન ચર્યા પૂજ્યશ્રીનો માસ્ટરગ્રંથ હતો. પૂજ્ય ગુરૂદેવશ્રી આ ગ્રંથ ઉપર આ વાચનાઓ સવિશેષ આપતા, સમજો આ ગ્રંથ ઉપર તેઓશ્રીની માસ્ટરી હતી. પાલિતાણા-ગિરિવિહારમાં ચોમાસું કર્યું ત્યારે પૂજ્યશ્રીએ ફરમાવેલા વાચનાઓ. આ પુસ્તક ૧-૨ માં અવતરિક કરેલી છે. પૂજ્યશ્રીનો વાણી પ્રવાહ અતિવેગીલો હતો એને શબ્દશઃ અવતરિત કરવો. નામુક્તિ વાત કહેવાય. છતાં ય અવતરણકારિકા પૂ. વિશ્વજ્યોતિશ્રીજી આદિનો ખંત પ્રશસ્ય રહ્યો છે. એમના અવતરણો ઉપરથી સુવિનેય ગણિ શ્રી નયચન્દ્રસાગરજીનું સંપાદનકાર્ય પણ ઓછું શ્રમસાધ્ય નથી. ત્રણ વરસની સતત જહેમત બાદ આ કાર્ય પ્રસ્તુત કક્ષાને વર્યું છે. એ હર્ષનો વિષય છે. મૂલતઃ વડિલબંધુ પૂ.આ.દે. શ્રી જિનચન્દ્રસાગરસૂરિ મ. ની પઠાણી ઉઘરાણી. જેવી પ્રેરણાએ જ વધ-વિલંબને વિરામ આપ્યો છે. પુસ્તકમાં ઝીલાએલી વાણી પૂજ્ય ગુરૂદેવશ્રીની છે અને સંપૂર્ણત જોવાનું સદભાગ્ય હું પણ પામ્યો છું. આમાં ક્યારેક આપણને અજ્ઞાત અથવા અગમ્ય વાતો પણ જોવા મળે. પરંતુ એટલામાત્રથી કોઇ અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરવા જેવી નથી.. કેમકે ઘણી વખત એવું બન્યું છે કે આમ માન્યતામાં વાત જુદી હોય પણ પૂજ્યશ્રીની ક વાણીમાં એથી જૂદી જ વસ્તુ જોવા મળે...પરંતુ ગહરાઇથી અને સંશોધનસાથે સત્યમેળવવાની કોશિષ કરીએ ત્યારે પૂજ્યશ્રીની વાતમાં સમર્થન અવશ્ય મળી જ આવે. એટલે પૂજ્ય ગુરૂદેવશ્રીના ઉદાત્ત વ્યક્તિત્વને લક્ષ્યમાં રાખી આ પુસ્તક વાંચવા ક ખાસ ભલામણ છે. બાકી તો “દરેક સાધુએ આ પુસ્તક વાંચી જ લેવું જોઇએ?’ એવી ઘણા મહાપુરૂષોની સૂચનાને અમલી બનાવી વાંચવાની શરૂઆત કરો. લાભ અવશ્યભાવી છે જ. X...હેમચંદ્રસાગર ની XIV Per po Use Only Jain Education Interna och ww.jainelibra
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy