SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખ” કોઇ અવ્વલ રાજકારણી નેતાને રાજકારણ ઉપર જ બોલવાનો અવસર આવે તો એ કેવું વર્ણન કરી શકે ? અફલાતુન જ ને ? ક્યાં કેવી ગુલાંટ મારવી ? પોતાના સ્વાર્થને સિદ્ધ કરવામાં આડે આવતા વ્યક્તિનો કાંટો કયી રીતે કાઢવો ? પોતાના પક્ષને બાનમાં કેવી રીતે રાખવો ? આદિનું કેવું સચોટ અને સુંદર વર્ણન કરી શકે ? કેમકે એ એનો મનપસંદ વિષય છે. ક્રિકેટ દુનિયાનો એક વખતનો ચમકતો સિતારો સુનીલ ગાવસ્કર પોતાની કલમ : ક્રિકેટનું વર્ણન કરવા ચલાવે તો કેવી ચાલે એની કલમ ? અફલાતુન જ ને ? ક્રિકેટની ખેલાતી મેચ વખતે પીચ કેવી રાખવી ? બેટ કેવું રાખવું ? કેવું પકડવું ? ક્યારે ક્યા બોલને કઇ રીતે ફટકારવો ? ફિલ્ડરોને કયી રીતે અંધારામાં રાખી ફોર કે સિકસર, મારી દેવી ? ફટકો મારતી વખતે બોલ કેચ ન થાય એ માટે કયી સાવધાની વરતવી ? રન કેવી રીતે લેવા ? ક્રીઝ ક્યારે છોડવી ને ક્યારે પકડવી ? સામેથી આવી રહેલો બોલ સ્પીન છે ? ફાસ્ટ છે કે લૂઝ છે એનો અંદાજ શી રીતે લેવો ? આદિ બાબત કેવું સતર્ક લખાણ લખી શકે ? સરસ...કેમકે એ એનો જીવન-વિષય છે. પોતાનો મનપસંદ વિષય હોય અને એના ઉપર જ્યારે વાણી વહાવવાનો કે કલમ ચલાવવાનો પ્રસંગ આવી પડે ત્યારે એ કામ બહુ જ નિખરી આવે છે. અહીં પણ એવું જ છે. પરમ-તારક પૂજ્ય પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. એટલે પ્રત્યક્ષચારિત્રમૂર્તિ. ચારિત્રમૂર્તિ એટલે માત્ર કઠિન | કઠોર કષ્ટમય જીવન જીવવું એ જ નહિ; પરંતુ ચારિત્ર સંબંધી શાસ્ત્રોના ગહન અને ગંભીર અભ્યાસ દ્વારા ક્યારે, ક્યાં ? અને કેવી રીતે ક્યો આચાર આચરવા જેવો છે ? એ જાણીને એ મુજબ જીવનમાં આચારને સ્થાન આપતા હતા. ચારિત્ર અને આચાર માટે તેઓ અત્યંત ચુસ્ત હતાં. એ માટે તત્સંબંધી જે જે શાસ્ત્ર, કુલકો અને અન્ય પ્રકીર્ણક ગ્રંથો હોય એની મુલાકાત આવશ્ય લેતાં જ. તદનુસાર - સામાચારીને મુખ્યલક્ષ્ય આપવાં પૂર્વક આચારનું પાલન કરતા. છેદસૂત્રો વાંચવા માટે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી માણિક્યસાગરસૂરિ મ. નો આદેશ થયો...અને વાંચ્યા પણ ખરા. છેદસૂત્ર એટલે પ્રાયશ્ચિત્ત અને અપવાદ માર્ગને જણાવનારા ગ્રંથો. છે પરંતુ બહુ જ ગંભીર, લઘુકર્મી અને પાપભીરૂ આત્માઓને જ આ ગ્રંથ વાંચવાનો અધિકાર હોઇ શકે છે. અપવાદમાર્ગ-રાજમાર્ગ ન બની જાય એની તકેદારી જે રાખી શકે એને જ આ ગ્રંથો વંચાવવામાં આવતાં. આજે આ બાબત ગાંભીર્ય છીછરૂ બનતું જાય છે. સામાન્ય Jain Education For Private & Pedular ibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy