SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જ “અર્થ પોરસી'' છે. ન સાંભળો તો મહાનિશીથમાં પ્રાયશ્ચિત છે.) દશવૈકાલિક એ સાધુ જીવનની આઉટ લાઇન છે. એનો સ્વાધ્યાય રોજ કરવો જોઇએ બને તો રોજ સવારે જ કરવી. એ આગમના શબ્દોથી હૈયામાં એનો પ્રકાશ પથરાય. શાસ્ત્રના શબ્દો અસર વધુ કરે. આત્માને જાગૃત રાખવા માટે દરેક અધ્યયનમાં નાના નાના સચોટ પદો છે. ને મારી વાણીયે રડુ કુર’ એવા પદોનું રટન-ચિંતન કરે ૧ થી ૪ અધ્યયન, પણું, ૮મું, ૧૦મું અધ્યયન અને બીજી ચૂલિકા તો આદર્શ છે. આના સ્વાધ્યાયથી તર્કો કરવાનું મન ન થાય, સ્વીકાર થઇ જ જાય. “આ તો એમ જ ચાલે'' એમ વિચાર પણ ન થાય. અને સુલભબોધિ થાય, આ સ્વાધ્યાયનો પ્રભાવ છે. સૌ પ્રથમ ગ્રામાનુગ્રામ વિહારની આજ્ઞા છે. આ મર્યાદાથી સંયમમાં દોષ ન લાગે. રાગાદિ દોષ ન લાગે. સાધુઓને સ્થિર ન રહેવાય. શરદઋતુમાં મેઘ આજે અહીં હોય તો કાલે બીજે હોય. તેમ સાધુ પણ જુદા જુદા ગ્રામ, નગર, દેશમાં વિચરતા રહે. વિહાર કરવાથી સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય. વિશિષ્ટ તીર્થો જિનબિંબોના દર્શનથી તથા વિશિષ્ટ તપસ્વી સાધુના સત્સંગથી ગુણાનુરાગ પ્રગટે. આથી મોહનીય ઢીલું પડે અને સમ્યગુદર્શન સ્થિર થાય. સંયમ લીધા પછી એક સ્થાને રહેવાથી ડામાડોળ સ્થિતિ થાય છે. વિહારમાં અનેક પરિસહી થાય. આથી તેમાં ટકવાની શક્તિ મેળવવા ગુરુ મહારાજના ચરણોમાં સતત સંપર્ક રહે. એક સ્થાને રહેવાથી, આવું પરિસહોની વિવિધતા ન થવાથી ગુરુ મહારાજનો સંપર્ક ન રહે. ગામે-ગામ વિચરવાથી જુદા-જુદા સાધુઓના વ્યાખ્યાન, વાચના શ્રવણથી પરમાત્માના વચનમાં કુશળ બને. જનપદ=દેશની પરીક્ષામાં નિપુણ બને. ક્યા જીવને કેમ સમજાવવું ? ઉપદેશની વિવિધ પદ્ધતિ આવડે. સ્વાર કલ્યાણ થાય છે. આ બધા અનિયત વસતિના એટલે કે વિવિધ સ્થાનોમાં વિહાર કરવાના ગુણો છે. સ્થિર વાસમાં આ બધા લાભ તો ન જ થાય. પરંતુ બીજા દોષોનો પણ સંભવ છે. તે સ્થિરવાસના પાંચ દોષો કહે છે. ૧) પ્રતિબંધ એક જ સ્થાને વધુ રહેવાથી મકાન ગામ કે માણસો પ્રતિ મમતા થાય, રાગવૃત્તિ થાય, ભક્ત-ભક્તાણીઓની પ્રત્યે અરસપરસ લાગણીથી આત્માનું પતન થાય, જે આત્મકલ્યાણમાં પ્રતિબંધક છે. ૨) લઘુતા તયર ગૃહસ્થોને સાધુઓનો અતિશય સમાગમ તે તિરસ્કાર માટે વાચના-પ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy