SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. ``અતિ સર્વત્ર વયિત્’’ સાધુએ એક સ્થાને રહેવાથી વિવેકીને લાભ થાય પણ બાળ જીવોને તિરસ્કાર થાય. મારવાડ-મેવાડમાં સંવેગી સાધુઓ પ્રત્યે કેટલી ભક્તિ, બહુમાન હોય છે. છતાં ગુજરાત છૂટે નહીં પરંતુ સતત રહેવાથી લઘુતા થાય. સાધુ-સાધ્વી તો ગૃહસ્થને સર્વવિરતિના લક્ષને પહોંચવા આદર્શ રૂપ છે. પણ ક્યારે ? ક્વચિત્ આવે તો, રોજ ત્યાં જ વસે તો એના વિચારમાં બહુમાનનું તત્વ ઘટી જાય. પરિણામે સાધુતાની લઘુતા થાય. ૩) જન ઉપકારમાં બાધક (સપ્તશુવયારા) સાધુ ગામડે-ગામડે ફરે તો ધર્મ આરાધનાની પ્રેરણાનો લાભ ત્યાં વસતા માણસોને મળે. આથી જન ઉપકાર થાય. પરંતુ વગર કારણે શિથિલતાથી સ્થિરવાસ કરે તો લોકો આરાધનાથી વંચિત રહે. ૪) દેશ જ્ઞાનનો અભાવ ``ઝવેશસતત'' જુદા-જુદા દેશ-પ્રદેશમાં જ્વાથી તે તે પ્રદેશની ભાષા પદ્ધતિનું જ્ઞાન થાય. આથી વ્યવહારમાં કુશલતા આવે જેથી અપમાન ન થાય. દા.ત. મારવાડ-મેવાડમાં `રાનમતો સા' કહેવું પડે માત્ર રાજમલ કહે તો અપમાન થાય. માટે દેશજ્ઞાન જાણવું જરૂરી છે. એક જ સ્થાનમાં રહે તો આ જ્ઞાન વિકસે નહીં. (૫) જ્ઞાનાદિકની અવૃદ્ધિ ઃ ગામે-ગામ ફરવાથી પદાર્થના જ્ઞાનરૂપ જ્ઞાન થાય વળી, દરેક વાદીઓની દલીલ જાણવા મળે. દલીલોના જવાબ આ રીતે અપાય તે વિચારવાથી જ ખબર પડે જેથી સમ્યગ્દર્શન નિર્મળ થાય. ગામેગામ વિહરતાં વિધિપૂર્વક ગૃહસ્થોના ઘરોમાં ગોચરી જ્વાથી તે તે દેશાચારનું જ્ઞાન થાય માત્ર વેશ-ભાષાનું મહત્વ નથી; પણ તે-તે દેશના લોકાના માણસનો અભ્યાસ કરવો જરૂરી છે. ત્યાં વિચરવાથી ત્યાંના રિવાજનો ખ્યાલ આવે. તેમાં ખામી કે આજ્ઞાનો લોપ વિગેરે હોય તો ટાળી શકાય. 'નાપિંડ' માં નાળા એટલે અનેક વિવિધ અને પિંડ એટલે આહાર, ગોચરી, ત્યાં નાળા એ ગોચરીનું વિશેણ નથી ``નાના ગૃહેમ્ય’’ એથી મધ્યમ પદ લોપી સમાસ છે. એક જ ધરથી ભક્તિવાળો શ્રાવક ૨૦ રોટલી વહોરાવે તો `નાપિંડ' ન કહેવાય. એને પુનઃ રોટલી ક૨વી પડે. અહીં (નાના એટલે જુદી જુદી ચીજ અર્થાત્ બરફી, પેંડા વિગેરે નહીં) પરંતુ નાના પિંડ=એટલે ‘વિવિધ ઘરમાંથી ગોચરી લેવી એક જગ્યાએથી નહીં' એ અર્થ છે. વાચના-૫૪ Jain Education International For Private & Personal Use Only ૧૫૦ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy