SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આજ્ઞા મુજબ ચાલનારો ભાવવિહારી છે. દ્રવ્યથી અપવાદે ભલે કદાચ વહેલા વિહાર કરે પણ એને ખોટું માને તો કર્મની શુદ્ધિ કરે, પુન: જિનશાસનની પ્રાપ્તિ થાય. સુલભબોધિ થાય. અવસગ્ન વિહારી કદાચ કાયાથી ઢીલો હોય પણ મન, વચન અને આત્માથી તે તે દોષોનો = શિથિલતાનો સ્વીકાર કરે. ''विशुद्धं चरण-करणं उववुहंतो परुवंतो'' | વિશુદ્ધ ચરણ-કરણાનુયોગની મર્યાદાની ઉપબૃહણા કરે. અર્થાત્ આદરભાવ રાખે. એ મર્યાદા પ્રમાણે ચાલનારની અનુમોદના કરે. અને તેઓને સહાયક બને. પોતે વિશુદ્ધ આચાર માર્ગ ન પાળી શકે તો પોતે પોતાની જાતને લઘુતા છે એમ માને “શરીર સંઘયણ મને આગળ વધવા દેતું નથી.' એમ માની જાતની લઘુતા માને આ ઉપબુંહણા છે. વિશુદ્ધિ ચારિત્રાચારની મર્યાદાની જ પ્રરૂપણા કરે તે કદાચ પોતે મર્યાદાઓનું પાલન ન કરી શકે તો તે ખિન્ન થાય, પણ પ્રરૂપણા કરવામાં પાછા ન પડે સંવિગ્ન પાક્ષિક બને. શુદ્ધ માર્ગનો જ પક્ષ કરે. ભલે પોતાની છાપ “બોલે'' છે, છતાં કરતા નથી.” એવી પડે તો પણ તેને સહન કરે. પણ પ્રરૂપણા સાચી જ કરે. આમેય ચાલે અને આમેય ચાલે એમ બોલે જ નહીં. શાસન તો પાંચમા આરાના અંત સુધી રહેવાનું જ છે. ૪ મૂળસૂત્ર (દશવૈકાલિક, આવશ્યક, ઓઘનિર્યુક્તિ, પિડનિર્યુક્તિ) પણ રહેવાના છે. સાધુ જીવનનો મૂળ પાયો કયો ? મૂળ પાયો છે ચારિત્રાચારની શુદ્ધિ, જેનું પાલન આજે પણ થઇ શકે તેમ છે જ. ચાર આગમના આધારે પાંચમા આરાના છેડા સુધી ચારિત્રનું પાલન થવાનું જ છે. વધુ નહી તો આવશ્યક દશવૈકાલિકના યોગવહન દરેકે કર્યા જ છે. તો તેનો સ્વાધ્યાય વારંવાર કરવાનો. ૧૭ ગાથા જીતકલ્પમાં રૂઢ છે. તે વિના પચ્ચક્ખાણ પાર્યુ ન કહેવાય. આથી ૧૭ ગાથા ગણે; પણ સ્વેચ્છાથી રોજ ૧૦૦ ગાથાનો દશવૈકાલિકનો સ્વાધ્યાય કરવો જોઇએ. મોઢે ન આવડે તો ચોપડીમાં જોઇને પણ ૧ વાર સ્વાધ્યાય કરવો જ જોઇએ. દશવૈકાલિક જેને કંઠસ્થ ન કર્યું હોય તેને ગુરુમહારાજ પાસે એકવાર ધારી લેવું. જેથી સ્વાધ્યાય કરતાં ભૂલો અશુદ્ધિ રહેવા સંભવ ન રહે. (વ્યાખ્યાનનો અર્થ વાચના-૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy