SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ @uu-yy સિસોરિ વિહાર...Iઉદ્દા પૂ.આ. ભાવદેવસૂરિ મ.એ આ ગ્રંથમાં પરમાત્માની આજ્ઞાને સામાચારી રૂપે ગુંથી છે. તેમાં બે પ્રહર સુધી સૂત્ર-અર્થની વાચનાનો અધિકાર જણાવ્યો. હવે આ વાચના લેવાથી શું લાભ થાય ? તે જણાવે છે. પરમાત્માની આજ્ઞા મુજબ વિહાર કરનારો સાધુ પ્રમાદી હોય તો પણ આઠે કર્મને દૂર કરે છે. એ સ્વાધ્યાયનો પ્રભાવ છે. વિહાર એટલે ? વિહાર બે પ્રકારે. ૧) દ્રવ્ય વિહાર ૨) ભાવવિહાર. એક ગામથી બીજે ગામ જવું તે દ્રવ્યવિહાર. જ્ઞાનીઓની આજ્ઞામાં ચાલવું તે ભાવવિહાર છે. આજ્ઞામાં ચાલતો આત્મા કદાચ પ્રમાદી થાય તો પણ અષ્ટકર્મ શોધે છે. અર્થાત્ દૂર કરે છે. અવસગ્ન એટલે પ્રમાદી, હોવા છતાં વિહારી હોય. અર્થાત્ પરમાત્માના શાસનની મર્યાદામાં રહેતો હોય તો આઠ કર્મ ખપાવે છે. દોષને ગોપવે નહી, છૂપાવે નહી. મવસગ્ન શબ્દમાં નવ + સત્ ધાતુ છે. નીચે બેસી જવું તે “અવસન્ન' કહેવાય. પરમાત્માની આજ્ઞાને છતી શક્તિએ ન પાળે અને સ્વચ્છંદ ભાવથી ઢીલો થઇ જાય તે અવસત્ર કહેવાય. જેને પોતાની શક્તિઓનું માપ કાઢવાની તૈયારી જ નહી. પહેલાં મન અને આત્માથી ઢીલો થાય. પછી કાયા અને વચનથી ઢીલો થાય. આ પ્રમાણે સંયમ-આરાધનાને ડહોળી નાખે તેવા અવસગ્નની વાત નથી. જેનું સમ્યગદર્શન ચોખ્યું હોય, પ્રરૂપણા ચોખ્ખી હોય તેની વાત અહીં કરી વાચના-પ૪ ક ક કકક : ::::::::::: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy