SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્વીઓ હાથમાં પાના રાખી ફોટા પડાવે છે. શું એમને અનુયોગ ક૨વાનો અધિકાર છે ? ના રે; જીવનમાં સાધુનેય ત્યારે આ અધિકાર મળે છે કે જ્યારે તે પંન્યાસ વિગેરે પદવીધર થાય. આગમની વાચનાનો અધિકાર જેને કાયદેસર મલ્યો છે; બુદ્ધિ સારી છે. શબ્દની મર્યાદાને ભગવાનના શાસનની મર્યાદા સાથે જોડી દે; તે આત્મા અનુયોગ કરી શકે. અનુયોગમાં અર્થ જેવો હોય તેવો શબ્દ ગોઠવી દે. અહીં અર્થ એ મુખ્ય છે; તેથી જેવો અર્થ હોય તેવી સૂત્રની વ્યાખ્યા કરવાની. માત્ર શબ્દોના અર્થ કરવામાં આવે તો ગરબડ થાય. ભગવંતને ઝાડા થવાથી સિંહ અણગાર રડે છે. ભગવાન તેને બોલાવીને કહે છે કે હે મુનિ ! રડો નહીં, મારું ૧૩ વર્ષનું આયુષ્ય બાકી છે. ત્યારપછી ભગવાન બે સાધુને ગોચરી માટે મોકલે છે. અને કહે છે કે “રેવતીને ત્યાંથી ઘોડા માટે કોળાપાક છે; તે લાવજો. મારે માટે બનાવ્યો છે તે નહીં લાવતા.’’ જેને મોહનીય અડવાનું નથી એવા તીર્થંક૨ ૫રમાત્મા પણ આધાકર્મી આહાર લાવવાની સાફ ના પાડે છે. આજે વાતવાતમાં આધાકર્મી લેવાય છે. વ્યવહારની કાળજી એમને પણ કેટલી ? પ૨માત્માએ નિર્દોષ કોળાપાક વાપર્યો તેને પણ અજ્ઞાનીઓ ‘‘પ્રભુએ માંસ વાપર્યું’’ તેવા અર્થ કરે છે. અનુયોગ વિધિ વિના તથા પરંપરા વિના આગમના અર્થ ક૨ે તો આવો ગોટાળો થાય. ‘‘સ્થાવરકાયની પણ વિરાધનાનો નિષેધ કરનાર આ પ્રભુ છે.'' એટલું પણ ન વિચાર્યું. આગમની વ્યાખ્યા એવી ક૨વી કે જેથી બીજા આગમને આંચ ન આવે. તે માટે જ્ઞાનની સંયમના પર્યાયની અને મોહનીયના ક્ષયોપશમની જરૂર છે. અનુયોગમાં યોગ્યતા એટલે મોહનીયનો ક્ષયોપશમ. તેનો અભાવ હોય તો પદવી અપાય જ કેમ ? આજ કારણે વરાહમિહિરને પદવી ન આપી. યોગ્યતા ન હોય તો અર્થમાં ગોટાળા કરે. આગમની વાચના કોણ કરે ? ભગવતીના જોગ કર્યા હોય તે. સર્વ અનુયોગની અનુજ્ઞા મળી હોય તે અર્થ પ્રમાણે સૂત્ર ગોઠવે તે અનુયોગ. ભગવંતને ઝાડા થયા છે તેથી ઘોડા માટે બનાવેલ નિર્દોષ કોળાપાક રેવતી શ્રાવિકાના ત્યાંથી ગોચરીમાં લાવવા કહ્યું છે જ્યારે કોલેજમાં ‘આચારાંગ સૂત્ર'ની વ્યાખ્યા થાય છે કે ‘મજ્જાર' બીલાડીના મારેલા પારેવાનું માંસ ભગવાને ખાધુ હતું.’’ પણ ‘એ બુદ્ધિમાનોને’ (?) ખબર નથી કે ઝાડાની ગરમીમાં માંસ કેમ ખવાય ? અને વાચના-૫૩ Jain Education International For Private & Personal Use Only ૧૪૫ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy