SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તારું=લાકડું મહિયા=માટી. તુંબડાનું પાત્ર, કાષ્ટપાત્ર અને મૃપાત્ર. સાધુને આ ત્રણ જ પાત્ર ખપે. આજે બેંગલોરી કાચવાનો વપરાશ વધતો જાય છે. પણ બેંગલોરી કાચલામાં જે રાસાયણિક પ્રયોગ થાય છે તે હિંસક છે. વળી, યંત્રવાદ છે એથી મોટો દોષ=આજ્ઞા બાહ્ય છે. ત્રણ જ જાતના પાત્રા વાપરવાની આજ્ઞા છે. તેમાં આ બેંગલોરી કાચલા કે પ્લાસ્ટીકનો સમાવેશ થતો નથી. માટે તે અકથ્ય છે. મૂળવિધિ પ્રમાણે પાતરા ગાડાની મશીથી રંગવાનું વિધાન છે. આથી પાતરા કાળા હોય. પરંતુ જીતકલ્પ પ્રમાણે પાતરા લાલરંગના નિયત થયેલા છે. લાલરંગ ગરમ ગોચરીથી આરોગ્યને નુકશાન કરનાર છે. માટે પાતરાની અંદરના ભાગે સફેદ રંગ કરવો. વળી લાલ પર જીવ જલ્દી દેખાય, માટે બહાર લાલ રંગ છે. પાત્રબંધ=ઝોળીનું પ્રમાણ પાતરું ઉપરોક્ત માપ પ્રમાણે હોય તો ઝોળી એવી હોય કે એની ગાંઠ વાળ્યા પછી વUT[ રંગુની તિ' એના ચાર છેડા ચાર આંગળ રહે તેટલી જોઇએ. ઝોળીની ગાંઠ છેક છેડાના ભાગેથી વળાય નહીં. ગાંઠ ખૂલી જાય, સરકી જાય તો છકાયની વિરાધના થાય. તથા ગોચરી નીચે પડી જ્યાથી શાસન હેલના થાય, પાતરા વિગેરે ફુટે, સંયમ સ્વાધ્યાયમાં પણ બાધા આવે...આવા અનેક કારણોથી ઝોળીની ગાંઠ વાળ્યા પછી ૪ આંગળ છેડા રહેવા જોઇએ. પાત્ર સ્થાપક એટલે નીચેનો ગુચ્છો. ગુચ્છો એટલે ઉપરનો ગુચ્છો. પાય પડિલેહિણી એટલે પાયકેશરીયા અર્ધા–ચરવળી. ઉપરનો ગુચ્છો-નીચેનો ગુચ્છો તથા ચરવળી એ ત્રણ એકવૈત અને ૪ આંગળ રાખવાના. આજે ગુચ્છામાં દોરી અલોપ થઇ બટન આવ્યાં. આ સામાચારી ભંગ છે. જેટલી આજ્ઞા-સામાચારીનો ભંગ કરશું તેટલો વિનાશ જલ્દી થશે. પોતાની કર્મનિર્જરા તો દૂર રહેશે પણ આનાથી જગત પર અસર પણ ન રહે. પાતરાનું પડિલેહણ કરવા માટે ચરવળી રાખવાની છે. ઉભયકાળ પાતરાનું વાચના-પ૨ ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy