SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જોગમાં પણ ત્રણથી વધુ પાતરા નહીં જ વાપરવાના. અમુક સમુદાયમાં સંઘટ્ટામાં ત્રણથી વધુ રાખે તો સંઘટ્ટો જાય એમ સામાચારી છે. અત્યારે જોગમાં કડકાઈ નથી. કારણ; ખુબ કડકાઇ હોય તો જોગ કરે નહીં, અને શ્રુતજ્ઞાનની આરાધના ન થાય પણ એની મર્યાદા સમજવાની અને જાળવવાની જરૂર છે. આજે સાધુ જીવન દુષિત થતું જાય છે. તે દુષિત વાતાવરણમાં આપણે ન ખેંચાઇ જઇએ તે ધ્યાન રાખવું. પયસ વિગઈ તો સાધુને વપરાય જ નહીં. પછી ચા ની વાત જ ક્યાં ? સાધુતાની અસર પડે ત્યાગવૃત્તિથી; અને એથી જ ઇલાચીને કેવળજ્ઞાન થયું. મુનિએ પાતરું ભર્યું હોત તો ઇલાચીને ક્યાં નિમિત્ત માલત ? નિમિત્ત મલતાં અનુમોદનાથી પૂર્વની વિરાધના હટી ગઈ; અને કેવલજ્ઞાન મલ્યું. અનાદિના સંસ્કારો જ્ઞાનથી જેટલા નથી જતા એટલા ક્રિયાથી જાય છે. એ ક્રિયા સામાચારી મુજબ જિનાજ્ઞા મુજબ હોય તો અસર કરે, પણ જિનાજ્ઞા નથી સમજાતી માટે ગુર્વાજ્ઞાથી વર્તે. જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા ગુર્વાજ્ઞા સમજવી. *ઉપાધ્યાય મહારાજ દાળ, કઢી, વ્યંજન સાથે જ વહોરતા અને વાપરતા. માંડલીમાં દરેક સાધુને પૂછી-પૂછીને વ્યંજન આપવું તે સામાચારીના ભંગથી મૂળમાર્ગ ખતમ થાય છે. આજે ૭-૯-૧૧-૧૩ પાતરાની જોડ થઇ ગઇ છે. આ કળીયુગમાં લોકો અસત્યના પક્ષપાતવાળા હોય છે. સત્યના પક્ષપાતવાળા ઓછા હોય છે. “બધાં આમ કરે છે'' માટે આમ કરાય એવું ન બોલાય. પોતાનાથી જે ન પાલી શકાતું હોય તેમાં ક્ષતિ કે અક્ષતિનો સ્વીકાર કરવો. પરંતુ દોષોને છાવરવા માટે આજ્ઞાની અવજ્ઞા તો ન જ કરવી. દરેક પ્રવૃત્તિ-ઉપકરણમાં આજ્ઞાની સામાચારીની પ્રધાનતા રાખવી. આપણા પાત્રાની મર્યાદા શું છે તે વિચારણા ચાલી રહે છે. પાત્રનું પ્રમાણ=માપ કેટલું ? જે પાતરાની પરિધિનું માપ ત્રણ વેંત ચાર આંગળ હોય તે મધ્યમ માપનું પાતરું કહેવાય. જઘન્ય માપ મધ્યમથી નાનું હોય. અને મધ્યમ = ૩ ત ૪ આંગળથી મોટું હોય તે પાતરાનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. શ્રી આચારાંગ સૂત્રની વૃત્તિમાં ત્રણ પ્રકારના પાતરા બતાવ્યા છે. નીક પાવે वा दारुपायं वा महिया पायं'. નીeતુંબડું * પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. વાચના-પ૨ કિજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy