SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દઇ ઇચ્છા સંદિ∞ ભગત બહુ પડિપુન્ના પોરિસી ઉચ્ચ સ્વરે બોલી ગુરુ મ. ને નિવેદન; તથા અન્ય સાધુ ભ. ને જાણ કરે. ગુરુ મ. (આચાર્ય ભ.) પોતે ઉપયોગ મૂકી ‘પોરસી આવી ગઇ છે.' તે જાણી તત્તિ કહે...દરેક સાધુ પોતપોતાના સંયમ યોગોમાં દચિત્ત હોય. સમયની ચિંતા માત્ર ગીતાર્થ જ કરે. યોગ્ય ક્રિયાકાલે સર્વસાધુઓને સમયની જાણ ગીતાર્થ કરે. હમણાં હમણાં કોઇ કોઇ સમુદાય (ટુકડી)માં બધા સાધુઓ ડિયાલ રાખે છે. તે ઉચિત નથી. સમય પરિવર્તનના કારણે અપવાદે ઘડિયાળ રાખવી પડે તો પણ માત્ર ગીતાર્થ / વડીલ જ રાખે. ગીતાર્થ એટલે શું ? ગીત એટલે સૂત્ર. અર્થ એટલે સૂત્રની વ્યાખ્યા ! સૂત્ર અને અર્થની વ્યાખ્યા ગુરુચરણે બેસી મેળવી હોય તે ગીતાર્થ. જિનશાસનમાં ગીતાર્થનું મહત્વ કેટલું ? સામાન્યથી દરેક પાપનું પ્રકાશન ગુરુ પાસે કરી શુદ્ધ બને. તુરંત જ શક્ય ન હોય તો પછી પ્રકાશન કરે. તેમ પણ ન હોય તો પ્રતિક્રમણ સમયે પ્રકાશન કરી શુદ્ધ થાય. આમ પક્ષી, ચોમાસી, સંવત્સરી વિગેરેમાં શુદ્ધિ કરે. આલોચના ગીતાર્થ ને જ આપવી. વ્યક્તિ વિશેષે પાપ શુદ્ધિમાં ભેદ પડે. ગચ્છાધિપતિ, પ્રવર્તક, પદસ્થ વિગેરેને આલોચના જુદી આવે. આ કોણ જાણે ? આ બધી જાણકારી ગીતાર્થને હોય. સ્વસમુદાયમાં પ્રાયશ્ચિત્ત આપનાર ગીતાર્થ ન હોય તો બીજે જાય. સ્વક્ષેત્રમાં ન હોય તો ૭૦૦ યોજન દૂર જાય. અથવા ૧૨ વર્ષ સુધી એમના આગમનની રાહુ જુએ. ‘શલ્યોદ્ધરણ’ મહત્વની ચીજ છે. માટે આટલી બધી મર્યાદા છે. ગીતાર્થ પોરસીના સમયની જાણ કરે; ગુરુ ભગવંત ઉપયોગ મુકી સમય જાણી ‘‘તહત્તિ’’ કહે પછી બધા સાધુ ભગવંતો ખમાસમણ દઇ ઇરિયાવહી કરીને મુહપત્તિપાત્રા વિગેરેનું પડિલેહણ કરે. પાત્રા વિગેરેનું પડિલેહણ કેવી રીતે કરવું-કોનું કોનું કરવું વિગેરે આગળ વિચારશું. વાચના-૫૧ Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy