SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા કરી મોહનીય કર્મ તોડીશ એટલે જ્ઞાન આવશે.” એમ માની ગુરુની ભક્તિ કરે. - માસતુષમુનિએ ગુરુવચનના આધારે ગુસ્સા રૂપી અને રાગરૂપી ચારિત્ર મોહનીય અટકાવ્યું, તો મોહનીયનો ક્ષય કરી શક્યા. ભણવા માટે ૫ લોગસ્સનો, ૫૧ લોગસ્સનો કાઉસગ્ગ કરીએ પણ મોહનીયને હટાવવા માટે ૨૮, ૨૫, ૩ વગેરે લોગસ્સનો કાઉસગ્ન કરીએ છીએ ? ના મોહનીયને હટાવવાનું લક્ષ્ય આપણું કેટલું કેળવાયું છે ? સંયમમાં ટકવા મોહનીયને મંદ કરવાની જરૂરિયાત છે. નમો વીયર IT” આ જાપથી દર્શન મોહનીય તૂટે. 'નમો વિI’’ આ જાપથી ચારિત્ર મોહનીય તૂટે. માટે સાધુએ બંને જાપની ૨૦ નવકારવાળી ગણવી. દર્શન મોહનીય તોડવા ૩ લોગસ્સનો કાઉસગ્ન કરવો. ચારિત્ર મોહનીય તોડવા ૨૫ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. મોહનીય કર્મ ઢીલું પડે તો સંયમ શોભી ઉઠે. અજ્ઞાન અવસ્થામાં પણ કંટાળો ન આવે, દુર્ભાવ ન થાય, વર્ધમાન ઉત્સાહથી જ પ્રયત્ન કરે તો અજ્ઞ પરિષહ જીત્યો કહેવાય. રર. સમ્યકત્વ પરિષહ : લોકોમાં અન્ય દર્શનમાં સારી વસ્તુ હોય તો પ્રશંસા ન કરવી. તેમના થોડા ગુણની પ્રશંસા કરવાથી મિથ્યાત્વનું પોષણ થાય કદાચ કાળબળે શાસનના અંગોમાં કોઇ દોષ દેખાય તો કોઇની આગળ જાહેર ન કરે, દોષો બોલવાથી શાસન પ્રત્યે શ્રધ્ધા ઉઠી જાય. મિથ્યાત્વનો ઉદય થઇ જાય. આવા સમયે જાગૃત રહી પરિષદને સહન કરે. આ રીતે પૂ.આ. ભાવદેવસૂરિ મ. એ આ ગ્રંથના માધ્યમે પોરસીના પડિલેહણ પૂર્વે સ્વાધ્યાયનું મહત્વ બતાવ્યું. આચાર્યાદિથી ગચ્છની મહત્તા બતાવી. સ્વાધ્યાય તથા ગુરુ કુલવાસ બંને જરુરી છે. ગુરુકુલ-વાસમાંથી કંટાળી ગયેલા આતાપના લે તો પણ તે આગળ વધી શકતા નથી તે અધિકાર જણાવી હવે પૂર્વ છ ઘડી સૂત્ર પોરસી (પઢના છઘડીયા પોરી રૂ૮) કરવાનું કહેલ તે છ ઘડી પોરસી (પ્રહર) પૂરો થયો તે કેવી રીતે જાણવો વિગેરે અધિકાર આગળ જણાવશે. વાચના-પ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy