SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુને જ્ઞાન-દર્શન-સંયમ માટે જ આહાર છે. આહાર વિના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર ટકે તો સાધુ આહાર ન વાપરે. સાધુએ ઉત્સર્ગે વાપરવું જ નહિ. અપવાદે વાપરે છે કારણે વાપરે. તેમ આહાર નો છ કારણે નિષેધ પણ છે. તેમાં પ્રથમ કારણ (૧) આયંક = રોગના કારણે હિાર ન જ્ઞ' સાધુને રોગ થાય જ નહીં રત્નત્રયીના આધારે મોહનીય ઢીલું થાય. પછી અશાતા આવે જ ક્યાંથી ? છતાં નિરૂપકમી કર્મ આવે તો ઉપચાર પહેલાં સનતકુમાર ને યાદ કરે. એઓ કાંઇ જિનકલ્પી ન હોતા. પોતે રાજ સિંહાસન પર બેસતા; પોતાના રુપનું તેમને અભિમાન હતું. રુપ જેવા માટે દૂર દેશમાં થી આવેલ બ્રાહ્મણો તેમને જોઇને માથું ડોલાવે છે. અભિમાનમાં સનત્ કહે છે: “પછી અગ્યાર વાગ્યે રાજ દરબારમાં આવજો”. પરીક્ષા પહેલાં વિદ્યાર્થી પૂર્ણ તૈયારી કરે. તેમ શરીરને પણ આભૂષણોથી શણગારી સનત્કુમાર તૈયાર થયો. પણ; સભામાં બ્રાહ્મણ સ્વરુપે આવેલા દેવો દ્વારા ખબર પડી કે “રાજા તારી કાયા રોગે ભરી'. પરંતુ તેની ખાત્રી શી ? ખાત્રી કરવા માટે દેવો થુંકવાનું કહે છે. સનચક્રી થૂકે છે. ઘૂંક પર જીવજંતુ બેઠા તે મર્યા. ત્યાં જ સનતુનું સમ્યગુદર્શન ઝળહળી ઉઠયું. ક્ષણભંગુર સંસાર પર વૈરાગ્ય થયો, “વિરતિથી જ સફળતા છે” એમ માની સિંહાસન પરથી ઉભા થઈ ગયા. રાજવૈદ્યો હાજર હતા છતાં તેમને ન બોલાવ્યા સંયમના શરણે ચાલી નિકળ્યા. આ આદર્શ સંયમીએ સામે રાખવાની જરૂર છે. પેટમાં દુઃખે તો ફાકી, કબજીયાત માટે જુલાબ લેવાથી પ્રાયશ્ચિત્ત છે. ( શનૈતિક) આજે શરીરના રોગ કરતાં મનના રોગ વધી ગયા છે. માટે જ દવાખાના વધ્યા છે. ડોકટર પાસે જઇએ તો તે તો ભ્રમ બેસાડે જ. એક ગામડીયો પલંગ પાસે જ લોટો રાખે અને સર્વ બહાર જાય. એકવાર કોઇએ એ લોટો લીધો અને ત્યાં લાલ રંગની શીશી મૂકી. સવારે ગયો હાથ લાલ થયો. “હાય ! મને મસા થઇ ગયા !” કેટલું બધુ લોહી નિકળે છે ? શરીર કરતાં મનના રોગો ભયંકર છે. માટે જ પ્રાચીનકાળના વૈદ્યો રોગને વ્હાર ન પાડતા. કેમકે માનસિક ઢીલાશથી રોગો વધે છે. વિચારોની નિર્બળતાજ મોહનીયની ભૂમિકાને તેજ=તી કરે. અને એથી વેદનીય પણ તેજ (તા) થાય. વિચારોની મક્કમતા રોગને દૂર કરે છે. ‘દ્રવ્યાર્થિક નયથી આત્મા શાશ્વત છે. એને કાંઇ થવાનું નથી. એક રૂંવાડે પોણા વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy