SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ આ બે રોગ નારકીમાં ભોગવ્યા છે. ક્રમશ: રોગો સાતમી નારકીમાં તીવ્રપણે હોય છે.' વિચારણાથી સાધુ ધીરતા કેળવી શકે. અહીં બહુ-બહુ તો એક, બે, ત્રણ, ચાર રોગ તો માંડ હોય. માંડવગઢમાં સં. ૧૩૫૦ માં જયસિંહ પરમાર થયા. કનોડના મહારાણાની લીલાવતી નામે પુત્રી હતી. એ વખતે એક લાખ બાણું હજાર ગામ મારવાડનાં હતાં. મહારાજાએ પુત્રીનું ચિત્ર લઇ માણસોને માંડવગઢ મોકલ્યા-ગયા. પેથડાશાહના કહેવાથી અંદર લાવ્યા. માનભેર સુવર્ણની ખુરશી પર બેસાડે છે. રાજપુત્રી લીલાવતીનું ચિત્ર જુએ છે. પેથડે પણ જોયુ; ત્યાં પહેરેગીર સૈનિક અંદર આવી કહે છે-મહારાજા ! ઇરાનથી અત્તરનો વેપારી આવ્યો છે. તેને એક કલાકનો જ સમય છે. આપની આજ્ઞા હોય તો અંદર લઇ આવું. ચાલી રહેલી વાતમાં ભંગ પડવાથી રાજા જયસિંહનું મોઢું બગડી ગયું. મંત્રી પેથડશાહ કહે છે કે “આ છેક ઇરાનથી આવ્યા છે તો એની યોગ્ય કદર થવી જોઇએ.'' મંત્રીની વાતથી રાજા પેલી વાતમાં પડદો પાડે છે. વેપારી અંદ૨ આવી મોગરા, ચંપા, કસ્તૂરી વિગેરેનાં અતરનાં પૂમડાં રાજા વિગેરેને આપે છે. ત્યાં કસ્તૂરીનું એક પૂમડું નીચે પડ્યું. મહારાજા ને થયું આટલું મોંઘુ અત્તર નીચે પડ્યું ? રાજાએ એ મોંઘુ અત્તર નીચે વળીને લીધું અને મોજડી પર લગાડી દીધું. કનોડ દેશના માણસોની દેખતાં જ આ થયું. આથી પેથડને વિચાર આવ્યો કે આ વૃત્તિથી પેલાં પુત્રી કેમ આપશે ? એમ વિચારી પેથડે વેપારીને રવાના કરી દીધો. સાથે જ પ્રધાનમંડળને અસર થઇ ગઇ. પેથડને થયું છોકરી આપે કે ન આપે એ વાત જુદી છે, પણ માંડવગઢના મહારાજાની લોભી તરીકેની છાપ પડે તે કેમ ચાલે ? પેથડે મીઠું બોલીને કનોડના પ્રધાન મંત્રીને બે દિવસ ત્યાંજ રોકે છે. પેથડશાહનો નિર્ધાર છે કે રાજાના યશને કલંક ન જ લાગવું જોઇએ. આત્માની મક્કમતા નિર્જરાના માર્ગ પર ટકાવે છે. આજે સંયમીની માનસિક ધારા નિર્બળ બની ગઇ છે. સ્ટેજ-હેજમાં દવા, ડોકટ૨ વિગેરેની દોડાદોડી કરી મૂકે. પણ પોતાના આત્માની શક્તિનો વિચાર ન $2... પેથડે ખાનગી તૈયારી કરી. રાજાના મોટા બગીચામાં પાણીનો હોજ છે તે ખાલી કરાવી દીધો, જતા વેપારી પાસેથી બધુ અતર લઇ લીધું; વેપારી સ્તબ્ધ બની ગયો ? આ શું ? પેથડે રોકડા પૈસા ગણી આપ્યા માલનો ઢગલો કરાવ્યો, હોજમાં ચોખ્ખું પાણી ભરાવ્યું પાંચ / છ ફૂટ પાણીથી અને બાકીનો અત્તરથી ભર્યો. વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only ૧૨ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy