SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારની આરાધનામાં ઉડાણ આવે. નવકારની પ્રતિતિ થાય એથી દઢ વિશ્વાસ આવે કે “પરમાત્માએ રોગમાં ચિકિત્સા નહિ કરવા કહ્યું છે. એ સો એ સો ટકા સાચુ છે.” કેન્સર, દમ, ક્ષયરોગ, અલ્સર જેવા નિકાચીત રોગ ઓછા હોય છે. બાકી સામાન્ય રોગ આહારની પ્રક્રિયાને વ્યવસ્થિત ન સમજવાથી થાય. ચર્યામાં અનાદિના મોહતત્ત્વનું મિશ્રણ થયું છે. માટે પાચનતંત્ર ખોરંભે ચડ્યું છે. સાધુઆજ્ઞા-સામાચારીની પ્રધાનતાએ આહારના દોષો ટાળી પાચન શક્તિને કેળવે...ખાતાં આવડે તો ઝેર પણ પચી જાય. સમ્રાટ અશોકના રાજ્યમાં આગળ ૯ નંદ થયા. નવમા નંદની લોભ પ્રકૃતિ ઘણી હતી. ગંગાનદીની પાછળ સોનાની નવ ટકેરી બનાવી; આ લોભ પ્રકૃતિમાં જ નંદરાજાનો વિનાશ થયો. ચાણક્યની પ્રેરણાથી નંદને જીવતો પકડ્યો. પણ ચંદ્રગુપ્ત રાજા બને અને ન્યાય નીતિ સંપન્ન રાજ્ય ચલાવનાર બને એવી ચાણક્યની મરજી હતી. કૌટિલ્યશાસ્ત્ર એના માટે જ બનાવ્યું છે. ચંદ્રગુપ્ત પણ કહ્યાગરો હતો. સમ્રા ચંદ્રગુપ્તની વિજય સવારી નિકળી. નંદને હતાશા થઇ. હવે મને કંઇ મળશે નહીં એમ વિચારી પોતાની સ્ત્રી, વેરાતની પેટી આદિ ખાસ ચીજ લઇ ચંદ્રગુપ્ત પાસે આવ્યો અને ઘર્મર હિ” એમ માગણી કરી. યુદ્ધમાં રાજા હારે અને “મને ગુલામ તરીકે રહેવું મંજુર નથી.' એવું લાગે ત્યારે પહેરેલા કપડે (આર્ય સંસ્કૃતિમાં) નીકળવું તે સંસ્કૃતિ હતી. ચાણક્ય ચંદ્રગુપ્તને જણાવે છે કે રાજનીતિનું આ મહત્વનું અંગ છે. કોઇ ઉપાય ન દેખાય ત્યારે આમ વિદાય આપવી એ આપણી ફરજ છે. આથી ચંદ્રગુપ્ત બહુમાનપૂર્વક બે રથ આપ્યા. આમ તો પગે ચાલીને જવાનું હોય પણ ચાણક્યના કહેવાથી બહુમાનપૂર્વક આમ કર્યું. નંદરાજા, પુત્ર, સ્ત્રી, રથમાં બેઠા. જ્યાં એમની છોકરી ચડવા ગઈ ત્યાં રથનું ચક્ર તૂટી પડ્યું. આથી અપશુકન થયા એમ નંદપિતા માને છે. ચંદ્રગુપ્તની સાથે પર્વતક રાજા હતો. ચંદ્રગુપ્ત રાજા પર્વતકરાજાની સહાયથી જીતેલ. પૂર્વે પર્વતક રાજા અને નંદની પુત્રીની નજર બગડેલી, દ્રષ્ટિ સંચાર ચાલતો હતો. ચંદ્રગુપ્ત વિચારે છે કે હું વળી દુશ્મનની દીકરીને ક્યાં રાખું ?' આથી ચડીના રથમાં' એમ ચંદ્રગુપ્ત કહ્યું પરંતુ નંદે ના જ પાડી. આપણો મૂળ વિષય ચાલે છે કે સાધુ હોજરીને એવી કેળવે કે ગમે તેવો પદાર્થ પણ પચી જાય. ખોરાક પચે નહીં તો જ વિકૃત રૂપે બહાર આવે છે. પણ પચી જાય તો કાંઈ ન થાય. ચાણક્ય પર્વતકની સહાયથી મગધ જીત્યું હતું. આથી એ કાંટો કાઢવો” એમ વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy