SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સવારે ગર્વ હતો સાંજે વૈરાગ્ય થયો. આપણે રોગને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો અર્થ જ એ કે અશુભને સત્તામાં રાખીએ છીએ. દેવું પુરું થાય તેવી તક છે; છતાં તક જતી કરે તે અજ્ઞાની-મૂર્ખ છે. આથી જ ઉત્કૃષ્ટ કોટીના ચારિત્રવાનું સાધુ-સાધ્વી રોગોદયમાં પણ શારીરિક માનસિક ધીરતા ન ગુમાવે. શરૂમાં શારીરિક ધીરતા હોય, માનસિક ધીરતા ન ટકે. ‘હાય ! શું થશે ?' એમ મનમાં થાય પણ માનસિક સ્થિતિને ડોકટર પણ કદી ઉત્તેજે નહિ. હા, એના પરિવારને ખાનગીમાં કહે, પણ દર્દીને તો આશ્વાસન જ આપે કે ઇન્જકશન-દવા થી સારું થશે.” સામાન્ય રોગોમાં મન ઢીલું થવાથી આત્મામાં અશાતા આવે મન કડક હોય તો સાયકોલોજી=મનોવિજ્ઞાનથી પણ આત્મા સ્થિર રહે. મન મજબૂત હોય તો...અશાતા અટકી જાય. કેમકે; તે સોપક્રમી પ્રકૃતિ છે. મન કડક હોય તેને ચાર ડીગ્રી તાવમાં પણ “મને કાંઇ નથી, હમણાં મટી જશે' એમ માને. રોગ બહારથી નહિ પણ આંતરિક પાચન પદ્ધતિની વિક્રિયાથી આવે. પાચનતંત્ર બગડવાથી આવે છે. અર્ધ પચેલું હોય તેનો કફ થાય. હોજરીમાંથી નીકળી મોટા આંતરડામાં ચોંટે, પછી સડે, આથી પેટમાં દુઃખે, ગેસ થાય. લીધેલો આહાર પચી જાય તો ચીકાશ ખલાસ થાય. નાના આંતરડામાં જાય અને ત્યાંથી પછી મોટા આંતરડામાં જાય. છ કલાકમાં ઝાડો થાય એટલે પેટ સાફ થાય. ઉજ્જૈનમાં કલ્પવૃક્ષ' છાપું પ્રગટ થાય છે. જેના દુર્ગાશંકર નાગર લેખક છે. તેઓ અસ્વસ્થ થાય, માંદા થાય તો...આંતર નિરીક્ષણ કરી પોતાનો રોગ મટાડે છે. ___ ''मैं संपूर्णरुप से स्वस्थ-निरोगी हूँ। मैं चेतन हूँ। मेरे में रोग नहीं हैं जो है વો પડોસી ઘર હૈ I fટ ગી ’ આમ સાતવાર બોલવાથી નિરોગી થાય. આત્મા માલિક છે, ઇન્દ્રિય, મન, આંતરડા, લીવર એ તો મુનિમ=નોકર છે આત્મામાં ઢીલાસ ન આવે તો એ પેલી શક્તિને વિદાય કરે. આત્મા અને અવયવ તરીકે-માધ્યમ તરીકે મન છે. તેને-હાય, મને આમ થયું, તેમ થયું, એમ થાય. આ રીતે શરીરનો રોગ મનમાં પેસે તો એ અસાધ્ય બની જાય છે. શરીરના રોગને શરીરમાં ? રાખવાનો, મનમાં પેસવા ન દેવો. રોગ પરિષહ એટલે રોગ સહન કરવાની તૈયારી જોઇએ. | વાચના-૪૯ છે [૧૧૦ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy