SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ @ાથGUકલિ નામ તUTwiા...//૪૪|| પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. ની “યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં પરિષદોનો અધિકાર ચાલી રહ્યો છે. પરિષહો તો કર્મની નિર્જરા અને આત્માની સહન શક્તિ વધારે છે. પરમાત્માની આજ્ઞામાં સ્થિર રહી સમભાવપૂર્વક પરિષહો સહે તો નિર્જરા થાય આગાઉની વાચનામાં અલાભ પરિષહ સુધી વિચારણા કરી ત્યાર પછી સોળમો રોગ પરિષહ છે. (૧૬) રોગ પરિષહ : જ્ઞાનીઓ બતાવે છે કે અશાતાવેદનીય કર્મ ગમેત્યારે નિમિત્ત કારણ પામીને ઉદયમાં આવે છે. નિમિત્ત કારણ ન મળે તો અશાતા પણ શાતામાં ભોગવાય છે. અશાતાનું નિમિત્ત કારણ શું ? ઇન્દ્રિયોના વિષયોના અતિરેક વધે તે જ મુખ્ય કારણ છે. અહીં અશાતારોગના અર્થમાં છે. ઇન્દ્રિયોના વિષયોના વિકાર વધવાથી રોગ થાય. આપણા શરીરમાં ૩ ક્રોડ રોમરાજી છે. એક રોમ પર ૧TI (પોણા બે) રોગ છે. એટલે ૫ ક્રોડ, ૬૮ લાખ, ૩૮ હજાર રોગ કુલ સત્તામાં છે. આ રોગો સાતમી નારકીમાં ઉદય હોય. બીજી છ નારકીમાં મંદપણ હોય. આપણને એક રોગ થાય તેમાં સંયમ શા માટે ડહોળવું પડે ? સનતકુમારને ૧૬ મહારોગ થયા છતાં તેની ચિકિત્સા ન કરી, સંયમ લીધું; આમાં સમજણ હતી. અશાતા તીવ્ર ક્યારે બને ? અશાતાના ઉદયમાં મોહનીય ભળે તો અશાતા તીવ્ર બને. સનતકુમાર ચક્રિને દેવે રોગની પ્રતિતિ માટે ઘૂંકવા કહ્યું સનત-ચક્રી ઘૂંક્યા પણ ખરા, સનતના ઘૂંક પર જીવો બેઠા તે મરી ગયા. આ જોઈ જાગૃતિ આવી. વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy