SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્વાશાથી શય્યાના ગીતાર્થને પૂછે, વિહાર ગીતાર્થ, ગૌચરીના ગીતાર્થ, શય્યાના ગીતાર્થ, પાત્રના ગીતાર્થ આમ બધાના ગીતાર્થ જુદા જુદા હોય. વધુ સાધુ હોય તો જુદા જુદા ગીતાર્થ હોય થોડા સાધુ હોય તો ગીતાર્થ એક જ હોય. શય્યા ગીતાર્થ જ્યાં કહે ત્યાં સુવું અને મનમાં આનંદ-ખેદ-ઉદ્વેગ ન થાય તે પરિષહ જીત્યો કહેવાય. (૧૨) આક્રોશ પરિષહ : હલકા માણસ, અજ્ઞાન જેમ-તેમ કહે તો તેમના પ્રતિ ભાવદયા ચિંતવવી. દ્વેષ ન કરવો તે. (૧૩) વધ પરિષહ : અજ્ઞાન કે દ્વેષભાવથી કોઇ લાકડી પથ્થર વિગેરે થી પ્રહાર કરે તો સહન કરે. (૧૪) યાચના પરિષહ : સાધુને ``ચત્ત વિધિપિ ન ત્ત્પતે ।’ ́ કોઇ દ્વારા ન અપાયેલ હોય તેવું કંઇ પણ સાધુને ન કલ્પે ન ખપે, અને માંગ્યા વિના કંઇ ચીજ ન મળે; માટે માંગવી પડે. ઉપાશ્રયમાં સ્થાન આપે. પછી પણ ઘડો, કુંડી, રાખ વિગેરે જરૂર હોય તો...‘અમો ઘડો, કુંડી લઇએ ?' એમ ગૃહસ્થને પૂછવું પડે. આનાથી-‘જિન શાસનનો વિવેક, મર્યાદા કેવી ?' એમ ગૃહસ્થને થાય, શાસન પ્રતિ બહુમાન જાગે. કોઇની અપ્રીતિના કારણ ન બનીએ. તે ધ્યાન રાખવું. અન્ય દર્શનીને અપ્રીતિ ન થાય તેમ પરઠવવું. આથી બીજાને વસતિ દુર્લભ ન થાય. માંગવામાં શરમ ન રાખવી તે પરિષહ છે. લાખોને આપનાર ચક્રી પણ સંયમ લીધા પછી શરમ આવે તો પણ યાચના કરી આ પરિષહને જીતે. (૧૫) અલાભ પરિષહ : સંયમને અનુકૂળ હોય તેનો જ સાધુને ખપ હોય, અન્યનો નહિ. કેમકે મોહના સંસ્કાર ક્ષય કરવા માટે સંયમ છે. એમાં શરીરને ભૂલવાનું છે. સાધુ ‘મુધાજીવી' છે. કોઇ પ્રયોજન વિના જીવે તે મુધાજીવન કહેવાય સાધુ-પોતાના માટે જ જીવનારા છે. ગૌચરીમાં પણ સંયમને અનુકૂળ વસ્તુ મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ માને પણ મનમાં ખેદ ન થાય. સંયમ જીવન અનુકૂળ આવશ્યક વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, ગૌચરી વિગેરે અંતરાય કર્મના ઉદયે ન મળે તો ઉદ્વેગ ન પામે. સદા પ્રસન્ન રહે આમ, આ પરિષહ સહે. વાચના-૪૮ Jain Education International For Private & Personal Use Only ૧૧: www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy