SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પડે. ત્યારે મનમાં ખેદ ન થાય તે પરિષહ છે. ‘નિષદ્યા’ એ સ્વાધ્યાય માટે વ્યવસ્થિત બેસવા અર્થે છે. અસજ્ઝાય હાડ-માંસ વિગેરે થાય તો બીજે કાલગ્રહણ લેવા જવું પડે. આ પણ પરિષહ છે. (સાપ, વિંછી, આગ લાગે છતાં તે સ્થાન ન છોડે તે પણ નિષદ્યા પરિષહ કહેવાય.) પ્રશ્ન : ચૈત્ર મહિને અચિત્ત રજ ઉડ્ડાવણી કાઉસ્સગ્ગ ભૂલાઇ ગયો હોય તો ક્યો સ્વાધ્યાય ન થાય ? ઉત્તર : જેનાથી તપ વળે તે સ્વાધ્યાય ન થાય. પ્રાકૃત, અર્ધમાગધી, ગણધરકૃત અને સ્થવિરકૃત હોય તેનો સ્વાધ્યાય ન થાય, તત્ત્વાર્થ સૂત્રનો પણ સ્વાધ્યાય ન થાય. જેમ જીવવિચારની સંકલના (જીવાભિગમમાંથી) કરી છે. તેમ અનેક સંકલન ગ્રંથો પ્રકરણો છે તેવા ગ્રંથો કે જેમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગને લગતી પરિભાષા હોય તે અસજ્ઝાયમાં ન ભણ્ણાય. ‘ઉપદેશમાળા’ આગમ જેવો મહત્વનો ગ્રંથ છે માટે તે ન *ગણાય. ૩૫૦, ૧૫૦, ૧૨૫ ગાથાના સ્તવનોમાં તાત્ત્વિક ભાષા છે. શાસ્ત્રપાઠો છે. માટે ન ગણાય. ‘કમ્મપયડી’ વિગેરે અસજ્ઝાયમાં ન વંચાય. સંમતિતર્ક શ્રેષ્ઠ છે. માટે ન ગણાય. અધ્યાત્મસાર, જ્ઞાનસાર અધ્યાત્મ ઉપનિષદ્ વિગેરે અસજ્ઝાયમાં ગણાય. વૈરાગ્યશતક આગમોમાંથી ઉષ્કૃત છે. પણ વૈરાગ્યની પ્રધાનતા વાળો છે. દ્રવ્યાનુયોગદિની પ્રધાનતાવાળો નથી માટે ભણાય-સ્વાધ્યાય થઇશો. સ્તવનાદિ પ્રથમ પ્રહરે ન જ ભણાય. થોય, ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાય દશ વાગ્યા સુધી ન ભણાય. સૂત્ર અર્થ ન ભણે. તે નવકારવાળી ગણે. ૨|| હજાર નવકાર=૨૫ બાંધી માળા ગણે, કાઉસગ્ગ કરે, ખમાસમણાં દે. (૧૧) શય્યા પરિષહ : શય્યા એટલે મકાન યા જગ્યા. જગ્યા સમ વિષમ હોય, હવા ન હોય, અંધારું હોય તે સહે. બીજો અર્થ; શય્યા, ઔદારિક શરીરને આરામ આપવા સંથારે સુવાનું છે. શય્યા ૩|| હાથની, સંથારો ૨|| હાથનો હોય. * અહીં ‘ગણાય’ શબ્દ પુનરાવર્તન સ્વાધ્યાય ક૨વાના અર્થમાં છે. વાચના-૪૮ Jain Education International For Private & Personal Use Only ૧૧૩ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy