SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) અતિ પરિષહ અતિ = રતિનો અભાવ. = રતિ એટલે ? સંસ્કૃતમાં રક્ તુ રમવા અર્થમાં છે. વૃત્તિઓ જે પરમાત્માની આજ્ઞામાં રમતી હોય તે રિત. સંસારીને સંસારમાં વૃત્તિ ૨મે; સંયમીને સંયમમાં મન = વૃત્તિ રમે. સંચવિષયા વૃત્તિ: રતિઃ । સાધુને વૃત્તિ ચંચળતાનો અભાવ હોય. ગમે તેવા સંયોગમાં ધીરતા હોય તે રતિ. તદ્ વિપરીતા તુ સતિઃ । જેમાં સંયમનું લક્ષ્ય ન જાગે,. મન ડામાડોળ હોય તે અતિ. બીંભાવપુદ્ગલ ભાવમાં જતી વૃત્તિને રોકી આજ્ઞામાં સ્થિર કરે, અને બીજાના બાહ્ય આડંબરથી મનમાં ખેદ ન થાય તે અતિ પરિષરા જીત્યો કહેવાય. (૮) સ્ત્રી પરિષહ : આ અનુકૂળ પરિષહ છે. મનને, ઇન્દ્રિયને ન ગમે તે પ્રતિકૂળ, ઇન્દ્રિય, મનને જે ગમે તે અનુકૂળ. પોતાને વાસના ઉભી થઇ હોય અને પૂરી થવાની શક્યતા મળે તો જાગૃત રહેવું. અથવા રાગના હેતુભૂત વિજાતીય ચેષ્ટા, વિભ્રમ આકાર જોવા મળે તો‘આનાથી વિકારોના અનર્થો ઉભા થાય. ચારિત્ર-મોહનીય જાગૃત થાય. એથી હિંસાદિ પાપ થાય. એનાથી દુર્ગતિ થાય.'' એમ વિચારી સ્ત્રીથી પાછો ફરે તે. આમ સ્ત્રી પરિષહથી વિજય મેળવે. (૯) ચર્યા પરિષહ : ‘ઘર’ આજ્ઞા-મર્યાદા પ્રમાણે, ગ્રામાનુગ્રામ ચાલવાની જિનાજ્ઞા છે. તેમાં ઉપધિ ઉપાડવાનો કંટાળો = વિહારમાં ઠંડી, ગરમીના કારણે કંટાળો આવે, નવા દેશમાં ન ફાવે આથી એક સ્થાને રહે, વિહારમાં આવતા કષ્ટોથી કંટાળો આવે તેને દૂર કરી પરમાત્માની આજ્ઞા પ્રમાણે, સામાચારી પ્રમાણે વિચરે, અને તકલીફ સહન કરે તે ચર્યા પરિષહ જીત્યો કહેવાય. (૧૦) નૈષેધિકી પરિષહ : આ પરિષહ પ્રાચીન કાળમાં મુનિને ખાસ હતો, આજે ખાસ નથી. વાચના, સ્વાધ્યાય વિગેરે બગીચા પાસે થાય. સ્મશાન હોય તો ન થાય. ઉતરવા માટે બગીચામકાન જેવી બીજી જગ્યા ન હોય તો સાધુ સ્મશાને પણ ઉતરે, આવા સ્થાનમાં જેટલું જ્ઞાન હોય તે રહે. નવું ન ભણાય. સ્વાધ્યાય પણ ન થાય આથી નવકારવાળી ગણવી વાચના-૪૮ Jain Education International For Private & Personal Use Only ૧૨ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy