SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયકને દ્રવ્યથી આર્તધ્યાન હતું. દુ :ખ થવા છતાં એની અસર નડી તે દ્રવ્યથી આર્તધ્યાન. દ્રવ્ય આર્તધ્યાનની બહુ ચિંતા ન કરવી. જો કે દ્રવ્ય આર્તધ્યાન ન થાય તો પુણ્યોદય. પણ થઇ જાય તો ગુરુ નિશ્રામાં રહી સામાચારીના પાલન દ્વારા, નવકારના જાપ દ્વારા આત્માને ચોક્ખો કરી નાંખવો. મોહનીયનો ક્ષયોપશમ કરી નાંખવો. ‘‘આ ભવમાં દુ :ખ આવ્યું છે. એ સારું થયું. અન્ય ભવે વિરતિ ન હોય તો સંભવ છે કે આ દુ:ખથી વધુ આર્તધ્યાન થાત, અને નવા કર્મો વધુ બંધાત'' એમ વિચારે. મનથી માત્ર પ્રકૃતિ-પ્રદેશ બંધાય. સ્થિતિ, ૨સ કષાયથી બંધાય છે. અમુક અધ્યવસાયો બંધાયેલ કર્મની સ્થિતિ ને અમુક વિશેષ રસ નાંખવામાં નિમિત્ત બને. કષાય એટલે ? મોહનીયના ઉદયથી થતી આત્માની મલીનતા તે કષાય. બંધક મુનિ બનેવી રાજાને અપરાધી તરીકે નથી માનતા, ભાઇ જેવો ભાઇ માને છે. સગોભાઇ પણ એવો ન હોય કે ૫૦૦ રૂા.નું દેવું પોતે ચૂકવી દે. આવો વિચાર દર્શન મોહનીયના ક્ષયોપશમથી અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ થી થાય. સમભાવ રાખવાની સાચી સમજણ આવે દર્શન મોહનીયના ક્ષયોપશમથી. પણ; અવસર આવ્યે સ્થિર રહે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી. કોઇ સાધુ દ્રવ્યથી સમુદાયમાં રહે પણ મોહનીયના ઉદયે ભાવથી ન હોય, પરાણે દબાયેલા, ચંપાયેલા રહે તો આવા સાધુ પરિષષ્ઠમાં ટકી શકે નહીં. પરિષહ અને યાતના વચ્ચે શું ભેદ ! परि ચારે બાજુથી = સમજણ પૂર્વક સહન કરે. આત્મા, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર બધી રીતે સમજણ શક્તિનો વિકાસ કરીને અનાદિના મોહના સંસ્કાર ઘટાડવાના લક્ષપૂર્વક સ્વેચ્છાપૂર્વક સહન કરે તે પરિષહો કહેવાય. અને સંસારી પૌદ્ગલિક ભાવે જે સહે તે યાતના કહેવાય, અથવા જે પરાણે બલાત્કારે ન છૂટકે સહન કરે તે યાતના એટલે પીડા કહેવાય. પરિષહ ભગ્ન= ઉદ્વિગ્ન ની આવી સ્થિતિ હોય. આવા આત્માઓ માત્ર કષ્ટ ને જ સહન કરે છે. પરિષહો પણ તેઓને પીડા રૂપ બને છે. પરિષહો તો કર્મનિર્જરાનું સાધન છે. તે બાવીસ પરિષહો સમજી સમભાવમાં સ્થિર રહી સહન કરવાના છે. તેની વિચારણા सह = હવે પછી... વાચના-૪૬ Jain Education International For Private & Personal Use Only १०२ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy