SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસમાં દ્રવ્યથી આહાર નથી, ભાવથી છે; તેમાં ઉણોદરી આવે તો જ ઉપવાસથી નિર્જરા થાય, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય. સારું સાંભળવાનો, વાતોનો રસ ઘટાડે તે રસ ત્યાગ. ઓછામાં ઓછી વસ્તુથી જીવન નભાવે તે વૃત્તિસંક્ષેપ. ઉભા-ઉભા કાઉસગ કરે; ભલે થાક લાગે, તે કાયક્લેશ. ઐચ્છિક તપથી સકામ નિર્જરા થાય અને મોહનીય ઘટે. બાહ્યતા સાથે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય વિટામીનનું ઇંજેકશન છે. આ બધા તપથી ધ્યાન આવે. નવકાર મંત્રનો જાપ કરે. પુદ્ગલનું ધ્યાન ઘટાડી આત્માનું ધ્યાન કરવું તે ધર્મધ્યાન છે. “સંયમમાં છકાયની જયણા સુંદર થાય છે. તપ કેટલો સુંદર થાય છે.'' એમ અનુમોદના કરે, સ્વદોષની ચિંતવના, પરગુણની ચિંતવના કરે; આજ ધ્યાન છે. એ આવે તો જ તપથી નિર્જરા થાય. ધ્યાન વિના નિર્જરા ન થાય. ૧૧ પગથિયા ચઢ્યા પછી ૧રમું પગથિયું ધ્યાન છે. પ્રવર્તક; સાધુને સંયમ-તપમાં જોડે. આજે દ્રવ્ય તપ અને એમાંય અણસણ વધ્યું, પણ બાકીના તપ ગૌણ થયા. ૫૦૦ આયંબિલ પૂર્ણ થતાં ગૃહસ્થને પ્રેશર કરીને મહોત્સવ કરાવવો એય “ર” છે. અધ્યાત્મ અંતરનો રસ ઓછો છે; માટે આ બાહ્ય રસ મીઠો લાગે છે. કોઇ સાધુ; પ્રવર્તકથી ન માને તો સ્થવરને કહી સ્થિર કરે, અને ગણાવચ્છદકથી ઉપધિ આદિ વ્યવસ્થિત મળે. આમ આ પાંચ પુણ્યવાનથી સમુદાયનું તંત્ર વ્યવસ્થિત ચાલે. આ પુણ્યવાનો મહિમંદ સાધુઓને કેવી રીતે સ્થિર કરી સમુદાય-શાસન ચલાવે છે તે અગ્રે. વાચના-૪૫ = ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy