SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેક્ટિકલ સામાચારીનું પાલન કરનારા સૂત્રાર્થ થિઅરીકલ છે. તદુભય એટલે જાણીને આચરણમાં મૂકવું તે પ્રેક્ટિકલ છે. જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છક હોય ત્યાં શું શું થાય છે ? એ બતાવે છે. (ગાથા ૪૧) આચાર્યાદિ પાંચ પુરુષોથી સહિત હોય તે ગચ્છ કહેવાય; તેમાં ''સુત્ત તવ મુ” આચાર્ય અર્થની દેશના આપે વૃત્તિ-ટીકાના આધારે સમજ આપે. ઉપાધ્યાય સૂત્રની વાચના આપે. ગદ્ય-પદ્ય, ઉપસંહાર, નિર્દેશ વિગેરે શીખવાડે. પ્રવર્તક તપ વગેરેની પ્રવૃત્તિ કરાવે. સંયમને ટકાવવા તપની ખાસ જરૂર છે. 'ઘમ્પો નં-ધર્મ મંગલ છે. ધર્મ કયો ? જેમાં અહિંસા હોય અહિંસા કઈ ? જેમાં સંયમ હોય. સંયમ કયો ? જેમાં તપ હોય. આજે તપ ઘણો વધ્યો છે, પુષ્કળ તપ થાય છે, ૧ર પ્રકારના તપમાં વર્તમાન કાળે માત્ર અણસણનો પ્રકાર વિકસાવ્યો, પણ અણસણની વૃત્તિ ઓછ થઈ છે. તેમાં પણ; પુણ્યવાનો ! વીરો તવો” “બાર અંગવાળો તપ” એ વિચાર આજે થતો નથી. અહીં તપના ૧૨ ભેદ નહી પણ ૧ર અંગ કહ્યા છે. જેમ એક શીલાંગનું ખંડન થતાં ૧૮૦૦૦નું ખંડન થાય તેમ તપમાં એક અંગ ન હોય તો તે તપ ન ચાલે. નવકારશીમાં અણસણ સૂમ રૂપે છે. પણ બાકીના ૧૧ જોઇએ. દરેક તપમાં ૧૨ અંગ હોય જ. આવા તપનો અભાવ હોય ત્યારે પ્રવર્તક તે-તે જીવને વ્યવસ્થિત કેળવણી કરે. ગધેડુ ખૂબ આડું હોય તેની ઉપર કુંભાર સીધો બેસે તો બેસવા ન દે, આથી કુંભાર પહેલા પથરો મૂકે. થોડીવાર પછી પોતે જ બેસી જાય. તેમ આ શરીર એવું જ છે. ધીમે ધીમે એને કેળવે. એકાસણામાંથી નીવી-આયંબિલ, ઉપવાસમાં, છઠ્ઠમાં જાય. દ્રવ્યતાની સાથે બધું જરૂરી છે. | વાચના-૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy