SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન તે સંયમ છે. તેને ટકાવવા માટે તા. તેને ટકાવવા યોગ. સંસ્કૃતમાં યુજ્ઞ-ધાતુ જોડવાળે છે. તપ, સંયમમાં જે યોગ્ય હોય તેને તે પ્રવૃત્તિ કરાવે. અને જેની શક્તિ ન હોય તપથી સંયમ ડહોળાઇ જતું હોય. તેને અટકાવે, આમ ગણની ચિંતા-સારવાર કરે. તત્તિનો = તેને સાધુને તે તે યોગમાં સમજાવીને જોડે તેવા સમર્થને તિત્તિર્ત કહેવાય. fથરવેર TT TT થેરો. પ્રવર્તકે જે સાધુને જે કાર્ય કરવાનું કહ્યું હોય તેમાં સિદાતો હોય તો તેને ઉલ્લાસપૂર્વક તે કાર્યમાં સ્થિર કરે તે સ્થવિર. બળ-શક્તિ હોય છતાં ઉલ્લાસના અભાવે ઢીલો થયો હોય તો તેને સ્થિર કરે. મનમાં પડેલી ગુંચ ઉકેલી ન શકતો હોય. તેવા સાધુ હોય તો સ્થવિર તેમની પાસે જઇને ગુંચ ઉકેલી તેને સમજાવે. ગણાવચ્છેદક એટલે રત્નાધિક, જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વધારે હોય તે રત્નાધિક કહેવાય. જેનામાં જ્ઞાન હોય શ્રદ્ધા હોય, જીવોને સ્થિર કરતા હોય, ચારિત્રની મર્યાદામાં જાણકાર હોય તે રત્નાધિક કહેવાય. માત્ર પર્યાયથી જ રત્નાધિક નહીં. આખા સમુદાયની સાચવણી કરવાની જવાબદારી ગણાવચ્છેદનની છે માટે બાહ્ય અભ્યતર સાધનોની જોગવાઈ કરવાની જવાબદારી તેમની છે. उद्धावणा पहाण खित्तोवहि मग्गणासु अविसाई । ગણાવચ્છેદક કાવન-પ્રધવિન ઉપધિની ગવેષણામાં વિષાદરહિત પ્રવૃત્ત હોય. વસ્ત્ર, પાત્ર, ઉપધિ, કામની હોય એટલી રાખે, બાકી પરઠવે તે ઉદ્ધાવન કરે. થીંગડાવાળા કપડાં હોય તેનું નાનું કપડું કરે, ખેરિયું કરે, બાકીનું પરઠવે તે પણ ઉદ્ધાવન કહેવાય. ચોમાસા પહેલાં બધા વસ્ત્રને પાણીમાં કાઢી નાંખવા. (જેનાથી હિંસા ન થાય) તે પ્રધાવન. આચાર્ય, ગ્લાન, નવદિક્ષિત, રાજકુમાર તથા સંયમમાં અસ્થિર હોય (શક્ય = નવદિક્ષિત – જે સંયમમાં હજુ સ્થિર થયા નથી) તેનું ધ્યાન રાખે. ઉપર, નીચે, અંદરના વસ્ત્ર ધોવડાવે. આચાર્યને રાજસભામાં જવાનું હોય તેથી વસ્ત્ર સારા રાખે. વળી ગ્લાન વાચના-૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy