SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય-પંચવિધ આચારનું આચરણ કરે અને પ્રકાશ કરે. અનાદિના મોહનીયના સંસ્કારમાં રહેલા જીવને પ્રેરણા થાય તે પ્રકાશ. આચાર્યનું પોતાનું આચરણ એટલું સુંદર હોય કે ઉપદેશ વિના અસર થાય. પ્રશ્ન : પાલન અને આચરણમાં શું તફાવત ? ઉત્તર ઃ પાલન વ્યવહારથી, બાહ્ય દ્રષ્ટિથી થાય. શ્રાવકને સારું દેખાડવા કરે, જો કે અપેક્ષાએ પાલન સારું છે કે લોકોના દેખતાંય વ્યવહાર તો પાળે છે. આચરણ : સહજ જ થાય, દિવસ કે રાત હોય, એકલા હોય કે પર્ષદામાં હોય, પણ પ્રવૃત્તિમાં કોઇ ફરક ન પડે. આત્મલક્ષી અને આત્મસાક્ષીએ આચરણ થાય. તેમજ `પાસંતા’ લોકોની આગળ છાપ આચારની પડે, સુખશીલતાનો ત્યાગ કરી, આચારની આચરણા પૂર્વક પ્રભાવ પડે. તેમને આજ્ઞા વિરુદ્ધ વિચાર પણ ન થાય. તો પ્રવૃત્તિની વાત જ ક્યાં. 'ગાયારે વંસતા’ આચારને જગતના જીવોને દેખાડે. ‘આનાથી તમારા બંધનો તૂટશે'' એમ દેખાડે તે. પંચાચારની નિષ્ઠા હોય એની ઇમ્પ્રેશન ખુબ સારી પડે મુહપત્તિ પૂર્વક બોલે, એકાસણા કરે, વિગઇ ત્યાગ કરે આનાથી શિષ્યને નવકારશીની ઇચ્છા જ ન થાય, અનેષણીય લાવે જ નહી. પણ દિપક સ્વયં પ્રગટ થાય પછી જ બીજા દિષકોને પ્રગટાવી શકે. આ આચાર્યનો સ્વરૂપ પ્રભાવ છે. આચાર્યના આચારની છાયા ગચ્છ ઉપર પડે. ગચ્છમાં ઉપાધ્યાય, સ્થવિર વિગેરે પણ હોય. તેઓની વિચારણા અગ્રે કરીશું... વાચના-૪૪ Jain Education International For Private & Personal Use Only €3 www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy