SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ", पंचविहं आयारं આચાર્ય; પાંચ પ્રકારના આચારમાં નિષ્ઠ હોય. આચાર પાંચ પણ તેને એક જ સ્વરૂપમાં લીધા છે. જ્ઞાનાચાર = જાણકારી. દર્શનાચાર = માન્યતા ચારિત્રાચાર – આચરણા તપાચાર = કર્મને તોડવાનો માર્ગ વર્યાચાર = ફોર્સ આમાં ૧-૧ આચારમાં બીજા ચાર આચાર હોય તો જ નિર્જરા થાય.. આજે શ્રમણ સંઘમાં જ્ઞાન છે પણ જ્ઞાનાચાર નથી. જ્ઞાનાચાર નિર્જરાનું અંગ છે. બાકીના ચાર ન હોય તો એકલા જ્ઞાનની જિનશાસનમાં કોડીની કિંમત નથી. જે જ્ઞાન ભણતાં-જ્ઞાનાચારને દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારને હેજ પણ આંચ ન આવે તો જ જ્ઞાનાચાર આવે. અને નિર્જરા થાય, બાકી જ્ઞાન “સેફ ડિપોઝિટ' જેવું છે. વ્યાખ્યાન આપવા માટે નવકારવાળી ગૌણ થાય. આથી પુણ્યબંધ થાય, નિર્જરા ન થાય, હા; ગીતાર્થ આજ્ઞા આપે તો નવકારવાલી ગૌણ કરી ભણે, પણ એ ગીતાર્થની આજ્ઞાથી, મન મરજીથી તો નહીં જ. પ્રશ્ન : નવકારનું એક પદ ગણે તો ન ચાલે ? ઉત્તર : ના, નવકાર મહામંત્રમાં અરિહંત માર્ગદર્શક છે, સિદ્ધો આદર્શ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પ્રેરક છે. ત્રણેય મહત્વનાં છે એકેય વિના ન ચાલે. નવકાર મહામંત્રને સમર્પણ થનારો આત્મા કર્મબંધનમાંથી જલ્દી છૂટે છે, તેથી સમર્પણ ભાવપૂર્વક ગણવી જોઇએ. સામાન્યથી ૭ મિનિટમાં ૧ નવકારવાળી ગણાય. આથી ઓછો સમય થાય તો ગોટાળો થવા સંભવ છે. આચારની વાત ચાલે છે, એક પણ આચાર ઓછો હોય તો નિર્જરા ઘટે. નિરપેક્ષ પણ એક આચારનું પાલન ન ચાલે. તપ કરતાં ભણવાનું ગૌણ જ થવું જોઇએ. જ્ઞાન ભણતાં તપ ગૌણ ન જ થવો જોઇએ. આ માટે ગીતાર્થ ગુરુના ચરણે રહેવું. વાચન-૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy