SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયીની આરાધના સિદાતી હોય તે આત્માઓને આરાધનામાં સ્થિર કરે તે સ્થવિરનું કામ છે. स्थिरी करणात् स्थवीर : ઉંમરથી વિર, પર્યાયથી સ્થવિર અને શ્રુતથી સ્થવિર તેમાં ક્રમશ: એકેક મહત્વનાં છે. (૫) ગણાવચ્છેદક જે હાલ ગણિ કહેવાય છે. અવચ્છેદક વિભાગ પૂર્વકની રચના. આખા સમુદાયના સાધુઓની જીવન યોગ્યતાનો એને ખ્યાલ હોય. બાળ, ગ્લાન, પરિણત, અપરિણત, શિથિલ, ધીઢ પરિણામી, વિગેરેના ખ્યાલ હોય. અને એ જાણી તેને તે તે રીતે જોડે તે ગણાવચ્છકનું કામ છે. - આ પાંચ વિના ગચ્છ ન હોય. જ્યાં પાંચ પુરુષોનો વર્ગ ન હોય તેને શું ગચ્છ કહેવાય ? ડિપાર્ટમેન્ટને ચલાવનાર આ પાંચ છે. આના વિના સમુદાય લગભગ ખલાસ થાય છે. આજ્ઞામાં સમુદાય ત્યારે જ ચલાવાય આ પાંચ હોય તો બાકી વ્યવહારથી તો સમુદાય ચાલે જ છે. પણ એ વાસ્તવિક નથી. ગચ્છને રાજ્યની, શાસનની, સામ્રાજ્યની ઉપમા આપી છે. રાજા, રાજકુમાર, પ્રધાન, સેનાપતિ અને કોટવાલ હોય તો જ સામ્રાજ્ય ચાલે. તે પાંચ પ્રધાન પુરુષો વિના શાસન ન ચાલે. માટે રાજા, કુંવર, અમાત્ય, સેનાપતિ અને કોટવાળ જોઇએ જ, તેમ સમુદાયને પરમાત્માની આજ્ઞામાં ચલાવવા ઉક્ત પાંચ પ્રધાન પુરુષ જોઇએ જ. હવે ટીકાકાર વ્યાખ્યા કરે છે. આચાર્ય કોને કહેવાય ? ૧) પાંચ પ્રકારના આચારમાં નિષ્ઠ હોય. ૨) આચારને પ્રકાશે. ૩) આચારને દેખાડે. તે આચાર્ય કહેવાય. દક ગીતા , ' '' ', ' . . . રજક : કડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy