SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ થાય, ગંભીર હોય. સ્થવિર ત્રણ પ્રકારે ૧) વય સ્થવિર, ૨) શ્રુત સ્થવિર, ૩) પર્યાય સ્થવિર. વય સ્થવિર કરતાં પર્યાય સ્થવિરે ઘણી સંવત્સરી જોઇ છે. માટે એની કિંમત વધારે અને એમના કરતાં શ્રુતસ્થવિરની કિંમત વધારે. કેમકે તેમણે છેદ સૂત્રનો અભ્યાસ કર્યો છે. આગમોની જાણકારી મેળવી છે. ૧૦ વર્ષે પંન્યાસને સકલ અનુયોગની આજ્ઞા મળે. તે સર્વ આગમો વાંચી વંચાવી શકે. ગણિને માત્ર ભગવતી સૂત્ર જ વંચાય અને વડીદીક્ષા જ આપી શકે. ગણિ થયા પછી પણ બધા આગમોના જોગ થાય પછીજ પંન્યાસ પદવી અપાય. એમ પૂ. નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં છે. પૂ. ગુરૂદેવશ્રી ધર્મસાગરજી મહારાજે પણ તેમ જ કરેલ. બધા આગમોના યોગોહન કરેલા. પંન્યાસ તેને કહેવાય જેમને સઘળા આગમ-વાંચવા વંચાવવાનો અધિકાર હોય. પંન્યાસ એટલે શું ? પંન્યાસ શબ્દમાં ત્રણ શબ્દો છે. પંડિત-પદ-ન્યાસ. મધ્યમ પદલોપી સમાસ થવાથી ‘પદ’ શબ્દનો લોપ થયો. પંડિતનું ટૂંકું થાય. ન્યાસ એટલે સ્થાપન કરવા. પંડિત પદે સ્થાપન કરવા તે પંન્યાસ. આજે માત્ર ખોખું રહ્યુ, પદ રહ્યું (ભગવતી સિવાયના આગળના જોગવિશિષ્ટાત્મા કરી શકે) સંયમ સામાચારીના પાલનમાં જે છતી શક્તિએ ઢીલા પડચા હોય કે જેની વાચના-૪૪ Jain Education International For Private & Personal Use Only GO www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy