SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ઉપાધ્યાય : ઉપ = પાસે, અધ્યાય = ભણવું. જેમની પાસે ભણાય તે ઉપાધ્યાય. પરમાત્માએ પ્રરુપેલા બાર અંગો તે સ્વાધ્યાય છે. તેના ઉપદેશકો તથા ભણાવે તે ઉપાધ્યાય છે. કર્મગ્રંથમાં વર્ણાદિની ૨૦ પ્રકૃતિ છે. તેમાં લવણરસ નથી તો પખિસૂત્ર માં ‘લવણ વા' કેમ બોલાય છે ? આ શાસ્ત્રવિરૂધ્ધ છે. “લવણ’ એ તો ચીજ છે. અને તે રસના ભેદમાં આવી જાય છે. મીઠા વાળી રોટલી સ્વાદિષ્ટ લાગે માટે એનો સમાવેશ મધુરમાં થાય. “મહુવા માં આવી જાય, માટે લવણ વા’ નહીં બોલવાનું એ વાત ઉપાધ્યાય સમજાવે. પખી પ્રતિક્રમણમાં “પન્નરસન્ન રાઇંદિઆણં' બોલાય. પણ “એક પખસ્સ'' ન બોલાય. પન્નરસન્ન રાઇઆણ દિઆણં' એમ પાઠ પણ છે. ઉપાધ્યાયની જરૂર એટલા માટે છે કે, શુદ્ધ પાઠ ક્યો છે તે જણાવે આથી વિરૂદ્ધ ન ગોખાય. (૩) પ્રવર્તક : પ્રકર્ષે કરીને રત્નત્રયીના માર્ગમાં આગળ વધારે છે. પ્રવર્તક દરેકના અંતરાત્માની પરિણતી વિચારે. કોઇકને જ્ઞાનની, કોઇકને ધ્યાનની, કોઇકને વૈયાવચ્ચની આજ્ઞા કરે. પ્રતિક્રમણ આદિ નિત્ય ક્રમ તો કરવાનું જ; પણ વિશેષ ઉપરોક્ત પ્રવૃત્તિમાં રોકે. આજે સત્તર ગાથા કરાવી વ્યાકરણમાં પાડી દે. ૧૦/૧૨ વર્ષમાં તો વૈરાગ્યનું વૃક્ષ ક્યાંય સૂકાઇ જાય. અને પછી બીજી પ્રવૃત્તિમાં પડી જાય તેવું ન બને તે કામ પ્રવર્તકનું છે. આચારાંગની પાંચમી ચૂલિકા નિશીથનું અધ્યયન ન કરે ત્યાં સુધી પાટ પર ન જ બેસાય. પોતાનામાં આચરણ હોય તેટલું જ બોલાય. આ પ્રવર્તક સમજાવે. બધાને એક દંડે ન હકે. શક્તિ સંપન્ન સાધુને તપ સંયમ સ્વાધ્યાયમાં જોડે તો ''ગસ૬ ૨. નિયતે” અસમર્થને રિવર્તન=વારે. આમ સતત ગણની ચિંતા કરવાનો સ્વભાવ પ્રવતંકનો હોય. (૪) સ્થવિર : વૃદ્ધ ઠરેલ સાધુ સમુદાયમાં જોઇએ. તે લગભગ ૫૦ વર્ષના જોઇએ. ૫૦ વર્ષે પારિણામિકી બુદ્ધિ થાય. ઉંમર પાકે તેમ લોહી ઠરે. મગજ શાંત વાચના-૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy