SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછામાં ઓછી ત્રણ નવકારવાળી ગણવાની આજ્ઞા છે. પૂર્વે પાંચ ગણવાની આ હતી. તે સિવાય વાતો, ગપ્પા, પ્રમાદ કરેતો મહાદોષ લાગે. ગુરુમહારાજની આ લઇ વૈયાવચ્ચ કરે તો વાત જુદી. ગચ્છમાં મુખ્યતાએ કોણ-કોણ હોય ? आयरिय उवज्झाया पवित्ति थेरा तहेव गणवच्छा । આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચ મહાપુરુષ હોય તેને ગચ્છ કહેવાય. ગચ્છ શબ્દમાં સંસ્કૃતમાં ધાતુ છે. તેનો /છ આદેશ વર્તમાનકાળમાં થાય. બીજા (ગણકાર્ય રહિત કાળ) કાળમાં ગમ્ જ રહે. ''गम्यते मोक्षमार्गः अनेन स गच्छ' વર્તમાનકાળમાં જેનાથી મોક્ષમાર્ગ ગમન થાય તે “ગચ્છ' કહેવાય. આચાર્યાદિ પાંચ મહાપુરૂષો ગચ્છમાં હોવા જોઇએ. (૧) આચાર્ય : મ-મર્યાદાપૂર્વક, ઘર આજ્ઞામાં ફરવું વ્યાકરણમાં તદ્ધિતનો પ્રત્યય લાગે. વડીલ જો આચાર નિષ્ઠ હોય તો બધાને ખૂબ અસર થાય આચાર્ય જો આચાર ગૃદ્ધ હોય તો (તેને) વધુ (બોલવાની) ઉપદેશની જરૂર ન પડે. પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. ઉંમર હોવા છતાં, અસ્વસ્થ અવસ્થામાં પણ કપડો ઓઢયા વિના એમજ ટેકાવિના ઉભા-ઉભા પ્રતિક્રમણ કરતા; આ આચારનિષ્ઠા છે. માવારે સાધુ = તે ગાવીર સાધુ આચાર્યનું મુખ્ય વિશેષણ છે. આચારમાં સાધુ એટલે શ્રેષ્ઠ તે આચાર્ય. ગણાય; આચાર્ય પદવીમાં આજે કાળના પ્રભાવે માત્ર પદનું જ મહત્ત્વ છે. પણ ‘પદ” તો ખોખું છે, પ્રાણ તો છે આચાર નિષ્ઠા. છેદસૂત્રમાં રોષકાળમાં પાટ વાપરવાનો નિષેધ છે. આજે આચાર્યો પાટ પર જ બેસે છે. (‘વા ના કારણે અપવાદે પાટ નો ઉપયોગ થાય એ જુદી વાત છે.) પદની સાથે શાસ્ત્રની મર્યાદાનું પાલન જોઇએ. અન્યથા એ જગતના જીવોનું કલ્યાણ ન કરી શકે. આચારમાં નિષ્ઠ હોય તો તેની અસર વધુ થાય. આચાર્ય એટલે માત્ર “ગાદીપતિ’ નહીં પણ આચાર નિષ્ઠામાં કડક હોય. આથી જ બધા ઉપર તેની અસર થાય. અને બધા સ્વયં સુંદર આચાર પાળે. વાચન-૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy