SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તો કંટાળો આવે જ નહીં. જેમણે આગમના અર્થનો અધિકાર નથી મેળવ્યો અર્થાત્ ૧૧ અંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પ્રહરમાં સૂત્ર જ ભણે અથવા બાલમુનિ અને જેણે અર્વાધ્યયન શરુ નથી કર્યું તે બેય-પોરિસિમાં સૂત્ર જ ભણે. ૧૨ વર્ષ પછી તેઓ બંને ઉભય પરિસિમાં અર્થ જ ભણે. સૂર્યોદયથી માંડી ૬ ઘડી સૂત્રપોરિસિ, ૬ ઘડી પછી અર્થપોરિસિ કરે. જોગ થયેલા સૂત્રનો અભ્યાસ સૂત્ર પોરસમાં ભણે. (સાધ્વીજી મહારાજ ને જેટલો અધિકાર છે; દશવૈકલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન, આચારાંગ, તે પૂર્ણ થાય તેટલો અભ્યાસ કરે પછી જ અર્થ કરે.) સૂત્ર અને અર્થ પોરિસિની વ્યવસ્થા પ્રમાણે સાધુઓ કઈ રીતે ભણો ? કોણ ભણાવે ? ''अज्झयणं उवज्झाओ करेइ, आयरिया सुतत्यं कहइ'' ઉપાધ્યાય સૂત્ર આપે આચાર્ય અર્થને આપે. કેવળજ્ઞાન સુધી પહોંચાડનાર શ્રુતજ્ઞાન છે. તે આ રીતે પ્રવર્તમાન છે. પૂર્વે પુસ્તક ન હતાં. પુત્યય સત્યે વિMાવિ સિત પઢિસુ શાસ્ત્રો પુસ્તકમાં ઢાળ્યા ન હતા તો પણ સાધુ ભગવંતો ભણતા હતા. ગુરુ મહારાજ કહેતા જાય અને શિષ્યો યાદ રાખે. આથી વિનયની મર્યાદા જળવાતી. ઉપાધ્યાય સૂત્ર અને આચાર્ય સૂત્રના અર્થો ભણાવતા. આજે પુસ્તકોમાં સૂત્ર, અર્થ જોઇને તૈયાર થઇએ. આમાં ભૂલ હોય તો કોણ કાઢે ? આજે પુસ્તકાધિન જ્ઞાન થયું એ જ વિષમકાળનો પ્રભાવ છે. મહેસાણા પાઠશાળા, ભાવનગર આત્માનંદ સભા વગેરેનાં સ્ટાન્ડર્ડ ઉંચા છે. પરંતુ તે ભણવા માટે ગુરુગમ તો જોઇએ જ. વાચના આપતાં સમયે ગુરુ મહારાજનું આસન અને સ્થાપનાજી સામે રાખી કોમના વતી બોલવાનું છે. વાચનાની શરૂઆતમાં ઇરિયાવહિયા કરી અનુયોગની ક્રિયા કરવી તે શાસ્ત્રીય છે. મહાનિશીથના ૪ થા અધ્યયનમાં છે કે જો જ્ઞાનનો ક્ષયોપશમ માબ મંદ હોય તો 'ઢાઝ સરસ્સ’’ અઢી હજાર નવકારનો જાપ કરે. હાલ 1ચના-૪૪ િ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy