SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ quad=ry પઢમા છઘડિયા સુપરસી...ll૩૮|| પૂ. આચાર્ય ભાવદેવ સૂરિ મહારાજ શાસ્ત્રાનુસારી જીવન પદ્ધતિના અધિકારમાં આ ગ્રંથ સમજાવી રહ્યા છે. સૂત્ર પરિસિ પછી પાતરાં પડિલેહણ કર્યા પછી અર્થ પોરિસિ કરે. એક પ્રહર પૂરો થવામાં બે ઘડી બાકી હોય અથવા છ ઘડી પોરસી થાય ત્યારે પોરિસિ ભણાવાય. હા | થી ૧૦ સુધી માં પોરિસી ભણાવે તો હજુ ચાલી શકે પણ ૧ર વાગી જાય તો આલોચના આવે. તે પણ “પડિલેહણા આધી-પાછી ભણાવી' એ અતિચાર લાગે. વિહારમાં જુદી વાત છે; પણ પ્રમાદથી કરે તો પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર પોરિસિમાં સૂત્રનું ઉચ્ચારણ, અર્થ પોરિસિમાં અર્થ કરે. જેમને સૂત્રનો અભ્યાસ થઇ ગયો હોય તેઓ બંને પોરિસિમાં અર્થ કરે. ૧ર વર્ષ સુત્ર ભણે, ૧ર વર્ષ અર્થ ભણે, ૧ર વર્ષ દેશાટન કરે. પછી જ આચાર્ય બને. આ શાસનની મર્યાદા છે. ગણધર ભગવંતની વાણી પર બહુમાન હોય તો મોહનીય તૂટે. આથી જ્ઞાનાવરણીય તૂટે જ. પણ “આપણને સમજણ ન પડે તો શું કરવું !” આમ કહી સૂત્ર સાથે જ અર્થ ભણે તો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય. પણ મોહનીયનો ઉદય વધે. ગોખવું = પુ-ઘોળું ધાતુ છે. ભગવંતના અર્થ-સૂત્રનો પદ્ધતિ પૂર્વક ઉચ્ચાર કરવો. “વાણીનો ઘોષ' કરવાથી સ્વયં યાદ રહી જાય. ભગવંતની વાણી મોહના ઝેરને ઉતારનાર છે. આ પરમાર્થ સમજવાની જરૂર છે. મંત્રાક્ષરોમાં અર્થનું મહત્વ નથી. શબ્દનું મહત્વ છે. જેમ ઝેર ઉતારનાર ગારુડી શબ્દો પર ભાર મૂકે; અને એથી જ ઝેર દૂર થાય. શબ્દો | ગાથાના અર્થ ન સમજાય તો કાંઈ નહીં પણ આગમની વાણીના ઘોષણથી મારા કર્મો દૂર થશે. આવો ભાવ હોય વાચના-૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy