SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આવન્સિયા થહિન્નવેશે... ૦||૪|| પ્રભુના શાસનને શોભાવનાર શ્રી ભાવદેવસૂરિજી મ. સંક્ષિપ્તમાં સાધુચર્યા બતાવી રહ્યા છે. CHRIGII-G ઇરિયાવહિયા બે પ્રકારે થાય : (૧) દ્રવ્યથી ઇરિયાવહિયા અને ભાવથી ઇરિયાવહિયા. દ્રવ્યથી-રસ્તામાં ચાલતા જે હિંસા થઈ હોય તેની શુધ્ધિ કરવી તે દ્રવ્ય ઇરિયાવહિયા. મોક્ષમાર્ગમાં આજ્ઞામુજબ ચાલવું તે ભાવ ઇરિયાવહિયા. તેમાં સામાચારી મુખ્ય છે. તેનું યથાશક્ય પાલન ન કર્યું હોય, તો તેની શુદ્ધિ ક૨વી તે ભાવ ઇરિયાવહિયા. આથી જ ઇરિયાવહિયાનો બીજો અર્થ કરે છે. इर्यापथ-साध्वाचारः`ध्यान मौनादिकं भिक्षुव्रतं" ઇર્યાપથ એટલે સાધુના આચાર. ધ્યાન મોન એ સાધુજીવનનું ફળ (વ્રત) છે. ધ્યાન ચારપ્રકારનાં તેમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનને દૂર કરે અને ધર્મધ્યાન, શુક્લધ્યાનમાં આગળ વધે. મૌન ત્રણ પ્રકારે : વચનથી મૌન, કાયાથી મૌન અને આજ્ઞા વિરુધ્ધ વિચાર પણ ન કરે તે મનનું મોન છે. વાયના Jain Education International For Private & Personal Use Only ૫૬ www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy