SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ T= આસ્સિયાપુ... .||૪|| પરમાત્માના શાસનને શોભાવનાર પૂ. આ. શ્રી ભાવદેવસૂરિ મ. સાધુ સામાચારીનો અધિકાર ‘યતિદિનચર્યા' ગ્રંથમાં જણાવી રહ્યા છે. તેમાં ``વિસર્ફ રિય પત્તિવમાનિ’’ લઘુનીતિ કરી નિસીહી કહી વસતી=ઉપાશ્રયમાં પ્રવેશ કરી, ઇરિયાવહિયા કરે તે વિધાન ``રિય પડિમડ્’’ શબ્દથી જણાવે છે. ઇર્યા=ગમન, તેનો પથ તે ઇર્યાપથ. તેમાં થયેલી વિરાધના તે ઇર્યાપથિકી ક્રિયા માર્ગમાં ચાલતાં જ કોઈ જીવોની વિરાધના થઇ તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય...ઇરિયાવહિયા કરી એટલે માર્ગે લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવાની ક્રિયા એમ વ્યવહારથી અર્થ થઇ ગયો છે. પણ એક ઇરિયાવહિયા ભવોભવના દોષોનું પ્રતિક્રમણ કરાવે. આપણે ક્રિયા કેવી કરીએ છીએ તે મહત્ત્વનું છે. શાસનની ક્રિયા અને સૂત્રોમાં તો અનંતા ભવોના કર્મોને તોડી નાખવાની શક્તિ છે. યોગ્ય પાત્રના હાથમાં આવે તો લાભ ઉઠાવી શકે. અપાત્રના હાથમાં આવે અને બેદરકાર રહે તો નુકશાન કરે. પાત્ર એટલે શું ? પાત્ર=જ્ઞાનને રહેવાનું ભાજન પાત્રતા હોય તો જ્ઞાન અપાય. જ્ઞાનાવરણીયના ક્ષોપશમથી યોગ્યતાનો વિકાસ થતો નથી. પરંતુ મોહનીયના ક્ષયોપશમથી યોગ્યતાનો વિકાસ થાય છે. તેમાં પણ દર્શન મોહનીયના સંસ્કારોનો ક્ષયોપશમ થવાથી એકાન્તે વિકાસ થઈ શકતો નથી. યોગ્યતાનો વિકાસ થયા પછી આત્મવિકાસ માટે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની જરૂર છે. વાયના હ Jain Education International For Private & Personal Use Only } www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy