SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, માત્ર પુસ્તકમાં છે. સાધુ છ કારણે આહાર વાપરે અને છ કારણે ન વાપરે. આપણે આપણા શરીરના નામે ઇન્દ્રિય-મનના સંસ્કાર પોષીએ છીએ. આથી આહાર-નિહારની પ્રક્રિયા નિયત થતી નથી. કાયિકી–લઘુનીતિ, માત્ર. છ કલાકના આરામ પછી કિડનીનુ ડાયજેશન થાય અને સવારે માત્રાની શંકા થાય. ત્યારે જયણાને પ્રધાન રાખીને, તમસ્કાયથી બચવાના પ્રયત્નપૂર્વક જાય. તે માટે 'ગાવસિયાયે'નો અર્થ બતાવે છે. અવશ્ય મવા= ઞવશ્યી કહેવાય. ગુરુમહારાજ જિનાજ્ઞાનું પાલન કરવાનું બતાવે છે, તેને કરવું તે જ આવશ્યકીનો અર્થ છે. જિનાજ્ઞાને વ્યક્તિ વિશેષ અમલમાં મૂકવાની પદ્ધતિ ગુરુ મહારાજ બતાવે છે. ‘વસતીની બહાર આવશ્યક કામ માટે જાઉં છું.'' તે ભાવ સૂચવવા માટે 'ગાવસ્સી' શબ્દો બોલી બહાર = સ્થંડિલ ભૂમિમાં જાય. 'થંઙિન્નવેશે' સ્થંડિલ, માત્રક વિગેરે કેટલાક એવા શબ્દો છે કે જે જયણાસૂચક છે. શિષ્ટપુરુષો હંમેશા સારી ભાષા કહે. ‘ઝાડે જવું’ એ ય સંપૂર્ણ સભ્યતાસૂચક શબ્દ ન કહેવાય. સાધુ ‘સ્થંડિલ જવું છું’ એમ બોલે...સ્થંડિલ એટલે... ગાય વગેરેના મલ-મૂત્રથી યા સહજ જે અચિત ભૂમિ હોય જીવજંતુ રહિત હોય તેને સ્થંડિલ કહેવાય. ગૃહસ્થ સંડાસમાં જાય. આથી કેટલી હિંસા થાય ? સાધુએ સર્વથા સાવઘના પચ્ચક્ખાણ કર્યા છે. એમની મલવિસર્જનની ક્રિયા પણ જયણા અને વિવેકપૂર્ણ હોય. એ માટે પારિષ્ઠાપનિકા સમિતિ છે. પરિસ્થાપનાનું અપભ્રંશ ‘પરઠવવું’ થાય. પરિસ્થાપન એટલે ? પરિ + સ્થાપના બે શબ્દ છે. વિરાધના ન થાય તેમ વિધિપૂર્વક મર્યાદાપૂર્વક ચક્ષુથી પડિલેહન કરીને પ્રાસુક વાચના-૬ Jain Education International For Private & Personal Use Only 3. www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy