SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કામળી; કપડો નાખીને પછી જ ઓઢવી જોઇએ. કામળી માત્ર તમસ્કાયની વિરાધના-કિલામણાથી જ બચવા માટે નથી. કામળી અપકાય, તેઉકાય, વાઉકાયના જીવોની રક્ષા માટે પણ છે. વંટોળ ચડે ત્યારે વાયુકાય સચિત્ત બને છે. ને ચારેબાજુ છવાઇ જાય છે. સચિત્તવાયુ ઘડા, પાતરા, ગોચરી. ઉપધિ આદિને અડે, તો તે સચિત્ત રજવાળા બની જાય, માટે વરસાદના છાંટાથી બચવા જેમ બારીબારણાં બંધ કરાય છે. તેમ વંટોળ ચડે ત્યારે પણ બારી બારણા બંધ કરીને અને કામળી ઓઢીને બેસવું જોઇએ. જયણા માટે જે કામળી છે, એ આજે શોભા માટે બની ગઇ છે. પરમાત્માના શાસનનો મુનિ માટે જે વેશ કેટલાય વર્ષોથી ચાલ્યો આવે છે, એ વેશને પલટાવનાર મહાપ્રાયશ્ચિત્તનો ભાગીદાર બને. મુનિવેશમાં મનફાવતો પલટો લાવનાર આપણે શૂરવીર (!) પાક્યા છીએ અને રેશમી, તારવાળી, સાદી વગેરે જાતજાતની કામળીઓ ઓઢતા થઇ ગયા છીએ. પૂર્વે પહેરાતી પાલીની કામળી આપણા શરીર પરથી તો વિદાય થઇ જ ગઇ છે, પણ હવે તો બજારમાંથી પણ અલોપ થઇ જશે એમ લાગે છે. આ રીતે પરિવર્તન કરતા રહીશું, તો ક્યાં પહોંચી જવાશે, એ વિચારતાં આંખે અંધારા આવી જાય છે. સંઘ સાધુની ભક્તિ દિલ મૂકીને કરે છે, એ ભક્તિ ફુટી ન નીકળે એ માટે સાધુએ સંયમની ભીષ્મ સાધના કરવાની છે. સાધના નહિ થાય, તો આ ભક્તિ ફુટી નીકળશે. લૌકિક દુહો યાદ આવે છે. ધર્માદાકી રોટીયો, જીસકા લંબા લંબા દાંત, ધર્મ કરે તો ઉગરે, નહિતર ખેંચી કાઢે આંત, જબ માંગેગા હિસાબ, તબ છૂટ જાયેગા પિશાબ. cobwe uslap વાચનાના આ પ્રથમ વિભાગમાં આ અને આવા અનેક ચિંતનો One tonal fe ersongse Only
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy