SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-સાધ્વી તો લીડર છે. દુનિયામાં આદર્શ રૂપ છે. એમના ઉપર તો ઘણું આધારિત છે. છતાં બેકાળજી કેમ ? સ્વચ્છેદ ભાવથી કરેલ ક્રિયાના કારણે મોહની બાંધ્યું છે, તે અહીં દરેક અનુષ્ઠાનમાં નડે છે. આ મોહનીયને દૂર કરવા માટે આજ્ઞાપાલન જરૂરી છે. વિધિપૂર્વક, મર્યાદાપૂર્વક આજ્ઞાપૂર્વક જે ક્રિયા કરે, તે ભાવક્રિયાને પામે જ. તળેટીના રસ્તે ચાલનાર તળેટી પહોંચે જ, ભલે વહેલો-મોડો પણ પહોંચશે તો ખરો જ. તેમ આપણે આજ્ઞાના માર્ગમાં ચાલવા દીક્ષા લીધી છે કે સ્વચ્છેદભાવને પોષવે દીક્ષા લીધી છે ? તે તપાસવાની જરૂર છે. આપણી દ્રક્રિયા ભલે દ્રવ્યક્રિયા હોય, પરંતુ પ્રથમ નંબરની ભાવના કારણે રૂપ દ્રવ્યક્રિયા બને તે માટે ગુરુનિશ્રાએ રહી આજ્ઞા-સામાચારી મુજબ મહાપુરુષોની આચરણાનું આલંબન લઇ ઇરિયાવહિયા પૂર્વક ક્રિયા કરવાની છે. ઇરિયાવહિયા વિના કોઈપણ અનુષ્ઠાન | ક્રિયા કરવી ખપે નહીં આ આજ્ઞાનું બંધારણ છે. “મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે રિયાટિયા, કવિતા, વિવિ કપૂરુ ઘેરૂય વંદુ | સંગ્લાય ગાવસ્મયા ૩ ચૈત્યવંદન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ કાંઈપણ કરતા પૂર્વે ઇરિયાવહિયા કરવાના છે. ઇરિયાવહિયા દ્વારા આપણા ભાવ / અધ્યવસાયો સ્થિર થાય. અધ્યવસાઓ ગમન-ગમન કરી રહ્યા છે, તેનું આ પ્રાયશ્ચિત્ત છે. ઇરિયાવહિયા પછી કુસ્વખ-દુસ્વપ્ન અને રાત્રિક પ્રાયશ્ચિત્ત માટે કાઉસ્સગ્ન કરવાનો છે. સવારે સૌ પ્રથમ કાઉસ્સગ્ગ કેમ ? તેની વિચારણા હવે પછી કરીશું.... વાચના-૧૧ વાચના-૧૧ - [+] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy