SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા ઉપદ્રવ એટલે સર્વ રોગો આદિનો નાશ થયેલ હોય અને બીજાના ઉપદ્રવ પણ નાશ પામે એટલે ભગવાન વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસો યોજન સુધીમાં રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ આદિ થાય નહિ. (૨) જ્ઞાનાતિશય - જેનાથી ભગવાન લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણ કે તેમને કેવળજ્ઞાન છે. તેથી કાંઈ પણ તેમને અજ્ઞાત રહી શકતું નથી. (૩) પૂજાતિશય - જેનાથી શ્રી તીર્થકર સર્વપૂજય છે એટલે ભગવંતની પૂજા, રાજા, બલદેવાદિ, દેવતા - ઇંદ્ર આદિ કરે છે, અગર કરવાની અભિલાષા કરે છે તે. (૪) વચનાતિશય - જેનાથી શ્રી તીર્થકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી હોય છે. આ વાણી ૩૫ ગુણવાળી હોય છે તે આ પ્રમાણે – (૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજન પ્રમાણ સંભળાય તેવી. (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર. (પ) શબ્દ વડે સ્પષ્ટ. (૬) સંતોષકારક. (૭) દરેક મનુષ્ય એમ જાણે કે મને જ કહે છે એવી. (૮) પુષ્ટ અર્થવાળી. (૯) પૂર્વાપર વિરોધરહિત. (૧૦) મહાપુરુષને છાજે એવી. (૧૧) સંદેહ વગરની. (૧૨) દૂષણ રહિત અર્થવાળી. (૧૩) કઠણ વિષયને સહેલો કરે એવી. (૧૪) જ્યાં જેવું શોભે તેવું બોલાય એવી. (૧૫) ષડૂ દ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે એવી. (૧૬) પ્રયોજન સહિત, (૧૭) પદ રચના સહિત. (૧૮) છ દ્રવ્ય અને નવ તત્ત્વ પટુતા સહિત. (૧૯) મધુર. (૨૦) પારકો મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈવાળી. (૨૧) ધર્મ અર્થ પ્રતિબદ્ધ. (૨૨) દીપ સમાન પ્રકાશ-અર્થ સહિત. (૨૩) પરનિંદા અને પોતાનાં વખાણ વગરની. (૨૪) કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત. (૨૫) આશ્ચર્યકારી. (૨૬) વક્તા સર્વગુણસંપન્ન છે એવું જેમાં લાગે તેવી. (૨૭) પૈર્યવાળી. (૨૮) વિલંબ રહિત. (૨૯) ભ્રાંતિ રહિત. (૩૦) સર્વ પોતપોતાની ભાષામાં સમજે એવી. (૩૧) શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. (૩૨) પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે તેવી. (૩૩) સાહસિકપણે બોલે એવી. (૩૪) પુનરુક્તિ દોષ વગરની. (૩૫) સાંભળનારને ખેદ ન ઊપજે એવી. શ્રી અરિહંત ભગવંત ૧૮ દોષથી રહિત છે. તે અઢાર દોષ આ પ્રમાણે છે. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) વર્યાતરાય (૪) ભોગાંતરાય (૫) ઉપભોગાંતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) શોક (૧૧) જુગુપ્સા-નિદા (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ (૧૮) દ્વેષ, URURURURKEURURUACAURULURURURURURURURURURUR દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy