SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કરું છું, આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું, ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું, લોકમાં રહેલ સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરું છું. આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. કેવળજ્ઞાન પામીને ભવ્ય જીવોને બોધ આપતા તે શ્રી અરિહંત ભગવંત બાર ગુણ સહિત છે. (આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય.) ૧. અશોકવૃક્ષ - જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બારગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે. ૨. સુરપુષ્પવૃષ્ટિ - એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ સ્થળમાં ઉત્પન્ન થયેલા સુગંધી પંચવર્ષા સચિત્ત ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે ૩. દિવ્ય ધ્વનિ - ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વર વડે દેવતા પૂરે તે. ૪. ચામર - રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. ૫. આસન - ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬. ભામંડળ - ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામે જોઈ શકાય નહિ. ૭. દુંદુભિ - ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજીંત્રો વગાડે છે તે એમ સૂચવે છે કે હે ભવ્યો ! તમે શિવપુરના સથવારા તુલ્ય આ ભગવંતને સેવો ! ૮. છત્ર - સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદઋતુના ચંદ્ર તુલ્ય ઉજજવલ અને મોતીના હારોએ સુશોભિત ત્રણ ત્રણ છત્રો દેવતાઓ રચે છે તે. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના જેવા ત્રણ પ્રતિબિંબો દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય છે. એ એમ સૂચવે છે કે ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને હે ભવ્યો ! તમે સેવો. સમવસરણ ન હોય ત્યારે પણ આઠ પ્રાતિહાર્ય તો હોય જ છે. ચાર અતિશય નીચે મુજબ છે. (૧) અપાયાપગમાતિશય - અપાય-ઉપદ્રવ, અપગમ=નાશ. પોતાને * કેવળજ્ઞાન પામીને ભવ્ય જીવોને બોધ આપતા અથવા આપવાને વિચરતા તે શ્રી અરિહંત બાર ગુણ સહિત છે - આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય. 828282828282XRURALAXXX282828282828282828A ૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy