SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ((૦૫) D એકાસણા બિચાસણાનું પચ્ચખાણ) ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિએ પોરિસિં સાઢપોરિસિં મુક્રિસહિઅં પચ્ચખ્ખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉવ્વિલંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલણ, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, ‘વિગઈઓ પચ્ચક્કાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં લેવાલેવેણ, ગિહત્ય-સંસણું, ઉન્મિત્તવિવેગેણં, કપડુચ્ચમદ્ધિએણે પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એકાસણું બિયાસણ, પચ્ચખ્ખાઈ, તિવિલંપિ આહાર, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, ૧ આઉટણપસારેણે ગુરુઅભુટ્ટાણેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, પાણસ્સ ૧૫લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, ૧૯સસિથેણ વા, અસિત્થણ વા, વોસિરઈ. ઇતિ બિયાસણા એકાસણાનું પચ્ચકખાણ * અહીંથી દરેક પચ્ચખાણમાં ઘણા ખરા આગારો એના એ વખતોવખત આવવાથી શબ્દાર્થ કે ભાવાર્થ લખેલ નથી અને જે જે આગારોમાં અર્થ આવ્યા નથી, તે દરેક ફૂટનોટમાં લખ્યા છે. એક વખત ભોજન કરવાનું છે. જેને વિષે અથવા એક નિશ્ચળ છે આસન જેમાં તે (એકાશન) એકાસણું જાણવું. ૧. બે વખત ભોજન કરવું તે બિયાસણ (દ્રવ્યશન) જાણવું. ૨. વિકૃતિ - વિગઈ છ છે તે આ પ્રમાણે – ૧ દૂધ, ૨ દહીં, ૩ ધી, ૪ તેલ, ૫ ગોળ અને ૬ કડા વિગઈ (કડાઈમાં તળાઈને ઉપર આવે તેવા પકવાન્ન) આ પચ્ચખાણ વડે છ માંહેની કોઈ પણ એક અગર વધારે વિગઈનો ત્યાગ કરવાનો છે. માંસ, મદિરા, માખણ અને મઘ એ ચાર મહાવિગઈનો તો શ્રાવકને ત્યાગ જ હોય છે. ૩. લેપાલેપેન-વૃત (ઘી) પ્રમુખ જે વિગઈનો સાધુને નિયમ હોય તે વૃતાદિ વિગઈથી ગૃહસ્થનો હાથ ખરડાયાથી લૂંછી નાંખ્યો હોય તેવા હાથથી અથવા ખરડાયેલા ચમચાને લૂછી નાંખીને તે વડેવહોરાવે તો પચ્ચખાણ ભંગ થાય નહિ. (સાધુને માટે આ આગાર છે.) ૪. ગૃહસ્થસંસૃષ્ટન-શાક પ્રમુખ દ્રવ્યને ગૃહસ્થ પોતાને માટે વિગઈથી જરા વધારી સંસ્કારિત કર્યા હોય અથવા રોટલી, રોટલા માંડાદિને ગોળ, ઘી પ્રમુખ વિગઈ વડે જરા ચોપડ્યાં કર્યા હોય તેમ છતાં નીવિ કે વિગઈના પચ્ચખાણમાં લેવામાં આવે તો પણ મુનિને પચ્ચકખાણનો ભંગ થાય નહિ. ૫. ઉક્લિપ્તવિવેકન-રોટલી, રોટલાકે માંડાદિઉપરગોળ, પ્રમુખપિંડ(કઠણ) વિગઈમૂકેલ હોય, પછી તે લઈ લેવામાંઆવેછતાં તેનો કંઈક અંશચોંટી રહેલ હોય તેવારોટલા વગેરેલેવામાંઆવેતોમુનિને પચ્ચખ્ખણનો ભંગ થાય નહિ. ગૃહસ્થને આ આગાર હોય નહિ. ૬. પ્રતીત્યમક્ષિતેન-રોટલી, રોટલા, પ્રમુખને કુણા રાખવા માટે, કરતી વખતે તેલ કે ઘીની આંગળીથી ચોપડીને કરે રાખે) તો તેમાં કાંઈક વિગઈનો ભાગ આવ્યાછતાં મુનિને પચ્ચખાણનો ભંગ થાય નહિ. ૭. પારિષ્ઠાપનિકાકારેણ-જે આહાર ગૃહસ્થના ઘરથી વિધિપૂર્વક (એષણીય) લીધો હોય REXXXXRUXORORURALARRURERVAURRRRRRRORCA ૨૨૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy